________________
ધ્યાન અને જીવન
સીતાજીએ કયા સંયોગમાં કઈ સમજે કેવું સાધ્યું ? :
સીતાજી ચારિત્ર લઈને બારમા દેવલોકના ઈંદ્ર કેમ થયા હશે ? કાયા ઈંદ્રિયો અને મનને સુંવાળા સુંવાળા રાખીને ? કે કસીને ? એ સમજતા હતા કે,
૪૩
‘જો મારે કાયા અને ઈન્દ્રિયોને મહલાવવી હોત તો તો અગ્નિની ખાઈ સરોવર થઈ ગઈ એવું દિવ્ય કર્યા ઉપર અને રામે મને જંગલમાં છોડાવી મૂકવા ૫૨ એમને પારાવાર પસ્તાવો થયા ૫૨, તથા બે પુત્રો લવણ અને અંકુશ ભારે માતૃભક્ત આવી મળ્યા ઉપર, કાયા-ઈન્દ્રિયોને સારામાં સારી રીતે મહલાવી શકત, પણ તેથી શું ?
વિષયસુખમાં મહાલવામાં કર્મની અહીં ગુલામી કરવાની અને પરભવ માટે નવી ગુલામી મોટી વહોરવાની !
કાયા-ઈન્દ્રિયો અને મનની સેવા-સરભરા તો અનંતા કાળ કરી કરીને જીવ કર્મથી પીડાતો અને આ વિરાટ ભવચક્રમાં ભટકતો રહ્યો, હવે એ નહિ.' શું સમજ્યા ?
રંગવિલાસ એ કર્મની ગુલામી :
અહીં કાયાને મહલાવવી એટલે અહીં પણ કર્મની ગુલામી જ ઉઠાવવાનો ધંધો છે, કેમકે એમાં કર્મે ઊભા કરેલા વિષમય વિષયોને આધીન થવાય છે. દુશ્મનનાં પ્રલોભનથી લલચાયા એને આધીન થવું એ દુશ્મનની ગુલામી જ છે. એટલે અહીં પણ ગુલામી અને એનાથી ઊભા થતાં ભારે કર્મબંધનોથી પરભવે તો કર્મની મહાગુલામી ! ત્યાં કર્મ જેમ પીડે-કનડે-કક્ચરે તેમ પીડાયા-કચરાયા રહેવું જ પડે.
સીતાજી સમજે છે કે ‘કાયા-ઈંદ્રિયો-મનને મહલાવવામાં તો અહીં અને પછી પણ કર્મની ગુલામી જ છે. એ સમજીને એ છોડી ચારિત્રમાર્ગ લીધો છે તો અહીં કાયાદિને મહલાવવા શા ? હવે તો મહામૂલી સાધનાનો અવસર હાથ લાગ્યો છે તો કાયાને કસો, ઈંદ્રિયોને દાબો અને મનને ત્યાગ-તપ-કષ્ટ અને ધ્યાનમાં મસ્ત કરો.' આમ ચારિત્ર-દીક્ષા લીધા પછી ભારે કષ્ટભર્યા ત્યાગ, તપ અને ધ્યાનનો ઠંડો હાથમાં લઈ કાય-મમત્વને ખોખરું કરી નાખ્યું હશે, ભારે ઈન્દ્રિયદમન અને ચિત્તશમન કર્યા હશે, ત્યારે એમને બારમા દેવલોકનું ઈન્દ્રપણું અચ્યુતઈંદ્રપણું મળ્યું.
અચ્યુત ઈંદ્રપણું એ સામાન્ય પુણ્યાઈ નથી હોં. ચોસઠ ઈંદ્રો શું, અસંખ્ય ઈંદ્રોમાં પહેલો નંબર ! એમના બાવીસ સાગરોપમના એટલે કે બસો વીસ કોડાકોડી પલ્યોપમ વર્ષોના સમગ્ર આયુષ્યમાં અહીં અઢી દ્વીપમાં થનારા અસંખ્ય તીર્થંકરદેવોને જન્માભિષેક વખતે પહેલો અભિષેક કરવાનો હક એ અચ્યુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org