________________
૪૨
ધ્યાન અને જીવન | સર્વજ્ઞવચન પર શ્રધ્ધા નહિ તો મન બગડે :
મન જે પવિત્ર રાખવું હોય તો સર્વશના વર્તાવ કે વચન પર અથાગ શ્રદ્ધા-ભક્તિ-આદર જોઈએ. મનનાં ધ્યાન આમ જ બગડે છે કે અંતે જઈને એક વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના કથન-વર્તાવ ઉપર પણ તેવી ભરપૂર શ્રદ્ધા-બહુમાન-આદર નથી, એટલે અયોગ્ય પ્રશ્ન, અયોગ્ય શંકા અને અયોગ્ય તર્ક ઊઠે છે. નિરર્શક અથાગ શ્રદ્ધા હોય તો રોજ રોવું આવે કે “અરેરે પ્રભુ ! આ તમે તો સંસાર અને રાગદ્વેષને ઝેર જેવા ઓળખાવી “આ રાખવા લાયક નથી” એમ કહો છો અને હું એને વળગી રહ્યો છું?' બોલો, રોજ આવે છે રોવું? તો તો સંસાર છૂટતાં વાર ન લાગે. નકામી શંકા અને તર્ક કરીને મનનું ધ્યાન ન બગાડાય.
પ્રસન્નચંદ્ર હવે રાજા મટી રાજર્ષિ બન્યા. પછી તો કેમ ? તો કે “લગાવો સાધના.” અણીશુદ્ધ સંયમ, ઘોર તપસ્યા અને તડકે આતાપના જેવાં પણ કષ્ટ ઉપાડવામાં લાગી પડ્યા.
ચારિત્ર લીધું તો લઈ જાણ્યું. સત્તાધીશ રાજાપણાનાં સુખો કેમ છોડ્યાં છે? જડ પગલના સંગ અને સાસરવાસર ભુંડા છે, ખતરનાક છે, માટે એ છોડ્યા. તો પછી હવે જડ કાયાની સાસરવાસર શી ? કાયાને કષ્ટથી કસો, તો આત્મા ગુણો અને પુણ્યાઈથી કસાય.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચારિત્ર પાલનમાં જોરદાર લાગી ગયા, કેમ? જોયું કે “ કર્મથી બહુ ઠગાયો, જનમ જનમ ઠગાયો. કર્મે મારી વિટંબણા નાલેશી અને અધઃ પતન કરવામાં બાકી નથી રાખી. તો પછી હવે એ કર્મોના નાશક શસ્ત્રો સંયમ, તપ, ધ્યાન, જિનાજ્ઞાપાલન વગેરે હાથમાં આવ્યા પછી તો હવે એમાં એવો લાગી જાઉં કે કર્મોના ભુક્કા બોલાવી દઉં. મને હડધૂત કરનારા કર્મોને હવે હું હડધૂત કરું.” આ તાલાવેલી લાગી પછી સાધનામાં શું કામ બાકી રાખે ? બાહ્ય-આભ્યન્તર તપથી કાયાને કસવામાં અને વિષય-ત્યાગથી ઈન્દ્રિયોને કસવામાં, તેમ ધ્યાનથી મનને નાથવામાં પૂરેપૂરા એકતાન બની ગયા. એક જ સૂત્ર -
કસો કસો કાયા, ઈન્દ્રિયો અને મનને. જેમ કસો તેમ આત્મતેજ વધે.”
શાસ્ત્ર કહે છે, “હે દુઃખ મહાફ', પણ દુઃખ વેઠતાં આવડવું જોઈએ. પ્રભુ મહાવીરે કેવાં કેવાં જાલિમ દુઃખો વેક્યાં ? તો પામ્યા? કેવળજ્ઞાન, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મપણું ! દુઃખને આવકારીને વેક્યાં, દુઃખ સહવામાં દિવાળીના દહાડા માન્યા, દુઃખને કર્મરોગ કાઢવાની દવા-ટ્રીટમેન્ટ માની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org