________________
ધ્યાન અને જીવન - બે વરસના બાળને મૂકી દીક્ષા? :
પ્રસન્નચંદ્ર રાજાને પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય ઝળહળી ઊઠ્યો, તે હવે તરત જ ચારિત્ર લેવું છે, કેમ લેવાય ? આમ લીધું - ઘરે નાનો બાળ પુત્ર છે, એને જ રાજ્યગાદીએ સ્થાપિત કરી દીધો. મંત્રીને ભલામણ કરી અને પોતે પ્રભુ પાસે આવી સાધુ-દીક્ષા લીધી.
પ્ર. - બે વરસના છોકરાને એની મા અને મંત્રીના આધારે મૂકીને દીક્ષા લેવાય ?
ઉ. - (૧) એમનો હિસાબ આ હતો કે કર્મને પરવશ આપણે કે સ્વજને ગમે ત્યારે મરીને એકબીજાને મૂકવા તો પડે જ છે, અનંતીવાર મૂક્યા છે, તો પછી ધર્મને પરવશ રહી આવા અતિ દુર્લભ ભવમાં સ્વજનને મૂકવા પડે એમાં શો વાંધો ? કર્મને પરવશ મુકાય તો ધર્મને પરવશ નહિ?
(૨) જો મૃત્યુને અકાળ નથી, અકાળ મોત આવે છે, તો ધર્મને અકાળ શા માટે? ધર્મ કોઈ પણ કાળે થાય. બીજું એ છે કે,
(૩) દીક્ષા આપનાર અહીં મહાવીર પ્રભુ છે, એટલે એમના કૃત્ય પર તમારે પ્રશ્ન કરવો છે ? તો તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ઉપર શ્રદ્ધા-બહુમાન જ નહિ રહે. જે અથાગ શ્રદ્ધા-બહુમાન છે, તો એમની કરણી પર પ્રશ્ન શા
માટે ?
ગૌતમ સ્વામીને પ્રભુ પર શ્રદ્ધા કેટલી? :
જુઓ, પ્રભુ શ્રી મહાવીર પરમાત્માએ છેલ્લી દેશનામાં ગૌતમગણધરને અધવચ્ચે ઉઠાડી દેશવર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલ્યાં. એ ગયા. ઉપદેશ આપ્યો. સ્વયં દ્વાદશાંગી આગમોના રચનારા અને ચાર જ્ઞાનના ધણી, એમણે ઉપદેશ કેવો આપ્યો હશે ? અદૂભુત ! તો ય અભાગિયા દેવશર્માને પત્નીના રાગમાં એથી પ્રતિબોધ ન લાગ્યો. કંચન અને કામિનીના રાગ ભૂંડા. આવી દેશનાએ પણ બૂઝે નહિ, એ સામાન્ય ઉપદેશે શું બૂઝે? છતાં ગૌતમ મહારાજને એમ પ્રભુ પર પ્રશ્ન ન ઊઠ્યો કે “પ્રભુએ શું જોઈને આવા પથરાને પ્રતિબોધ કરવા મને મોકલ્યો હશે ?' ઊલટું દેવશર્મા પર દયા આવી હશે કે “અરેરે ! પ્રભુ જેવા પ્રતિબોધ કરાવે છે છતાં આ બિચારો બોધ પામતો નથી ! કેવો આ કમપીડિત !' કેમ પ્રભુની કરણી પર પ્રશ્ન નહિ ? કહો, પ્રભુની ઉપર એમને અથાગ શ્રદ્ધા-ભક્તિ-આદર હતા, એટલે પ્રભુ જે કહે, જે કરે, તે યોગ્ય જ લાગતું હતું, એટલે એ જ રીતે પ્રભુએ જે એમને અને બીજા દશ મુખ્ય તથા ચુંવાલીસસોને તેમજ પ્રસન્નચંદ્રને દીક્ષા આપી એના પર પ્રશ્ન ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org