________________
ન ધ્યાન અને જીવન થયા. ત્યારે પણ હજી ધ્યાનધારા તો ચાલુ જ હતી, એટલે તો એથી ય આગળ મોહનીય વગેરે કર્મોનો સંપૂર્ણ ચૂરો કરી વીતરાગ સર્વજ્ઞ બન્યા ! કહો ક્ષણનાં ધ્યાનનો કેટલો પ્રભાવ ? એનું કેટલું બધું સામર્થ્ય ? પણ આવું ક્ષણનું શુભ ધ્યાન એમ એકાએક નથી ઊભું થયું. એની પાછળ, એ તાકાત લાવનારી તૈયારી કરેલી હતી, ભૂમિકા સર્જેલી હતી. જેમ અશુભ ધ્યાન જનમ-જનમની તેવી નરસી ભૂમિકા પર જાગે છે, એમ સારું ધ્યાન પણ સારી સારી ભૂમિકા પર.
મૂળ એ પ્રસન્નચંદ્ર રાજા હતા. ત્રિલોકબંધુ પરમ તારક શ્રી મહાવીર પરમાત્મા એમના નગરની બહાર પધાર્યા છે અને રાજાએ પ્રભુની દેશના સાંભળી. ત્યાં રાજાને વૈરાગ્ય ઝળહળી ઊઠ્યો. પછી તો કેમ ? તો કે ઈતર શાસ્ત્રો ય કહે છે તેમ,
યદાઈવ વિસર્જતુ, તદવ ૦ઘર્જતુ જે દિવસે આ સંસાર પર વૈરાગ્ય થાય, તે જ દિવસે આ સંસારને છોડીને હંમેશ માટે ચાલી નીકળવું. ત્રિભુવનગુરુ શ્રી મહાવીર પ્રભુ પાસે એવા હજારો દીક્ષિત થયા.
જુઓને પહેલા અગિયાર ગણધરો જ કેવી રીતે સાધુ બન્યા ? પ્રભુની પાસે આવ્યા, વાણી સાંભળી અને વૈરાગ્ય પામી ત્યાં જ ને તે જ વખતે ચુંવાલીસસો. વિદ્યાર્થી સાથે સંસાર ત્યજી અણગાર મુનિ બની પ્રભુનાં ચરણે બેસી ગયા. એમ સગાવહાલાને પૂછ્યા ગાડ્યા વિના કે મનાવ્યા વિના યા ધર્મનો કાંઈ અભ્યાસ કર્યા વિના ચારિત્રમાં બેસી જવાય ? પણ એમના મનને લાગી ગયું કે ગણધરોની કઈ સમજ પર ત્યાં જ દીક્ષા? :
આ જીવને બનાવટી સ્વજનો તો જનમ જનમ મળ્યા અને જીવ એ સ્વજનોની મરજી નહિ છતાં મર્યો ! તે ય સ્વજનના મોહમાં કરેલાં પાપોનો કરણ અંજામ એકલે પડે ભોગવવા પડે એવા ભવચક્રમાં ભટકતો થવાનું કરીને મર્યો ! ત્યારે ભવચક્રમાંથી મુક્ત કરનાર આવા સાચા સ્વજનભૂત પરમાત્મા કે સગુરુનો ભેટો જ ક્યાં સુલભ છે ? અતિ અતિ દુર્લભ ! એક માનવભવ પણ જો દુર્લભ છે, તો પછી એમાં આર્ય દેશે આર્ય કુળમાં જન્મ અને શુદ્ધ પરમાત્મા શુદ્ધ ગુરુ તો કેટલા બધા દુર્લભ ? વનવગડામાં એવા કોઈ દાતાર મળ્યા હોય ને મહાનિધાન આપતા હોય, અથવા આવા સંરક્ષક મળી ગયા ને શરણું આપતા હોય, તો શું સગાવહાલાને પૂછવા રહેવાનું કે “હું નિધાન લઉં કે નહિ ? હું રક્ષણ લઉં કે નહિ ?'
અગિયારે બ્રાહ્મણ અને એમના ચુંવાલીસસોએ વિદ્યાર્થી પ્રભુની વાણીથી વૈરાગ્ય પામી ત્યાં ને ત્યાં જ દીક્ષિત થઈ ગયા ! પ્રભુના શિષ્ય બની ગયા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org