SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯) ધ્યાન અને જીવન (૩૯ અધ્યવસાય, ભાવ, પરિણામ. એ સ્થિર હોય, એટલે કે ભલે એક ક્ષણ પણ એકાગ્ર તન્મય ચિત્તના ભાવ હોય, એ ધ્યાન છે, એમાં ક્ષણવાર પણ મનોયોગની સ્થિરતા છે. એમ તો વચનયોગ-કાયયોગની સ્થિરતા યાને નિરોધ, એ પણ ધ્યાનરૂપ છે, એ વાત આગળ આવશે. એટલું લક્ષમાં રહે કે ધ્યાન શુભ-અશુભ બે પ્રકારે છે, કેમકે ધ્યાન શુભ કે અશુભ કેમ જણાય? : ચિત્તના ભાવ શુભ પણ હોય યા અશુભ ય હોય. આગળ બતાવાશે કે * (૧) આ સંસારના ગમતા પદાર્થ અંગે - “એ કેમ મળે, મળેલા જાય નહિ, અથવા અણગમતા કેમ ન આવે, આવેલા કેમ ટળે, એના પર મનની ચોંટ, એ અશુભ ધ્યાન અશુભ અધ્યવસાન છે. એમ પીડા-વ્યાધિ-વેદના ટાળવા અંગેની મનની તન્મયતા, એમ કોઈ હિંસા કે જુઠ યા ચોરી-અનીતિ કે ધન-માલ વગેરેનાં સંરક્ષણ અંગે મનની તન્મયતા - એ બધું અશુભ ધ્યાન છે * (૨) એથી ઊલટું. સર્વજ્ઞશાસન, કર્મના વિપાક, રાગાદિ દોષોના અનર્થ કે વિશ્વ યા વિશ્વના કોઈ તત્ત્વ પર મનની તન્મયતા, એ શુભ ધ્યાન છે. આપણા હૈયાના ભાવ આમાં શેના પર સ્થિર થાય છે એ પરથી જાણી શકીએ કે આપણે શુભ ધ્યાનમાં છીએ કે અશુભમાં. તો શું આપણે કોઈ ને કોઈ વિચાર નથી ચાલતો ? કોઈ મનોરથ, કોઈ ચિંતા, ચિંતન, ચિત્તની મસ્તી યા હતાશપણું વગેરે નથી ચાલતું ? ચાલે જ છે, મન એમાં ક્ષણવાર તન્મય પણ થાય છે. એમાં કહ્યું તેમ જોવાનું કે “એ શુભ ધ્યાનમાં જાય? કે અશુભ ધ્યાનમાં?' જેવું એ શુભ યા અશુભ ધ્યાન હશે, તેવાં કર્મ બંધાવાના. એટલે જીવન સાથે જેટલા પ્રમાણમાં જેવા ધ્યાન સંકળાયેલા છે, તેટલા પ્રમાણમાં તેવા કર્મનો બંધ થયા કરવાના. કર્મના બંધની સાથે, પહેલાં કહ્યું તેમ, સંક્રમણ અપવર્તનાદિ, સંસ્કરણ વગેરે ચાલવાનું સમજી લેવાનું. શુભ ધ્યાન વખતે આ બધી શુભ કમાઈ ! ને અશુભ ધ્યાન વખતે એથી ઉલટી બધી અશુભ કમાઈ ! હમણાં સારું ધ્યાન છે, તો શુભ પ્રવાહ ચાલુ, પણ ક્ષણમાં નરસું ધ્યાન આવ્યું, તો તરત પ્રવાહ અશુભ ચાલુ થઈ જ જવાનો. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું નામ સાંભળ્યું હશે. એમને એકવાર અશુભ ધ્યાન એવું ઝળક્યું કે એ પરાકાષ્ઠાએ વધતાં ત્યાં સાતમી નરકનાં અશુભ કર્મો એકત્રિત કર્યા. પછી તરત શુભ ધ્યાન પર ચડ્યા, તો એ ઠેઠ ઉપરના અનુત્તર વિમાનમાં જઈ ભોગવાય એવાં શુભ કર્મબંધ કરનારા અને અશુભનાં શુભમાં સંક્રમણ કરનારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy