________________
૩૮
શુભ ભાવ માટે શું કરવું ? :
ધ્યાન અને જીવન
માટે જ કર્તવ્ય આ, કે ધર્મક્રિયા, શુભ પ્રવૃત્તિ, ધર્મમય વાણી, મનથી મૈત્રી આદિ ભાવનાઓ, ધર્મસાધનાની યોજનાઓ વગેરે ઉલ્લાસપૂર્વક ખૂબ કરવાની, ને શુભ ભાવોના વેગ વધારવાના. ન છુટકે સંસારમાં રહેવું પડે છે ને પાપપ્રવૃત્તિ કરવી પડે છે, ત્યાં બને તેટલી જાગૃતિ રાખીને તેવા તેવા શુભ ભાવ કરતા રહેવાનું. પછી સાંસારિક ગમે તે પ્રવૃત્તિ હોય ને, પણ તમે જો ધારો તો શુભ ભાવ ઉભા કરી શકો. પહેલાં કહ્યું તેમ પાપનો ખેદ, જીવો પર દયા, મૈત્રી, સંસાર-ઘરવાસ ૫૨ ગ્લાની, દેવ-ગુરુ પર ભક્તિ-બહુમાન-શ્રદ્ધા, ક્ષમા, નમ્રતા, ત્યાગ-તપના મનોરથ, સુકૃતની અનુમોદના, દુષ્કૃતનો ખેદ... વગેરે વગેરે અનેકાનેક શુભ ભાવ છે. જ્યાં જે શુભ ભાવ લાગુ થાય તે લગાડી દેવાનો. એ માટે શાસ્ત્ર આ સિક્કો મારી આપે છે તે ધ્યાનમાં રાખવાનો કે,
શુભ ભાવથી શુભ કર્મ બંધાય, અશુભ ભાવથી અશુભ. બંનેમાં જથાબંધ કર્મો આવે છે ! શુભ યા અશુભ, તે પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ સમય જેવા કાળે અલગ અલગ. આંખનો એક મચકારો થાય એટલામાં અસંખ્ય સમય વીતે ! એટલો કાળ જ શુભ ભાવ આવ્યો, તો ય એ અસંખ્ય પૈકી દરેક સમયે શુભ કર્મોના જથા એકત્રિત થયે જ ગયા ! એટલે એક પલકારા માત્રમાં અસંખ્ય વાર આવું બને ! એથી ઊલટું એક પલકારાના અશુભ ભાવ વખતે અશુભ કર્મના જથા અસંખ્ય વાર. જીવનમાં આ ઘટમાળ સતત ચાલે છે. ત્યારે આ પ્રશ્ન થાય કે -
ધ્યાનને જીવન સાથે શો સંબંધ છે ?
તો કે આ, કે શુભ ધ્યાનમાં શુભ ભાવ વણાયેલા છે અને અશુભ ધ્યાનમાં અશુભ ભાવ વણાયેલા છે અને જીવનમાં ધ્યાન ઘણું ચાલે છે, એટલે એમાં વણાયેલ શુભ-અશુભ ભાવ ઉપર તેવા તેવા કર્મબંધ ચાલ્યા કરે છે.
**
Jain Education International
૬. ધ્યાન અને પ્રસન્નચંદ્ર
ધ્યાન એટલે પહેલાં જે ‘નમસ્કાર' ‘લોગસ્સ'નું ધ્યાન બતાવ્યું એટલું જ સમજતા નહિ, શાસ્ત્ર કહ્યું છે -
સ્થિરમ્ અધ્યવસાન ઘ્યાનમ્'
અર્થાત્ સ્થિર અધ્યવસાન એ ધ્યાન છે. અધ્યવસાન એટલે ચિત્તના
For Private & Personal Use Only
www.jainelibrary.org