SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ધ્યાન અને જીવન સૂઝે. એ સૂઝે એટલે વળી નવાં શાતા વેદનીય વગેરેની કમાણી થાય. અહીંના શુભ ભાવે કેવી ભાવીની સ્થિતિ પણ શુભ બનાવી ? શુભ ભાવથી શાતાવેદનીયની સાથે યશદાયી યશ-નામકર્મ, સૌભાગ્ય નામકર્મ કે જેથી બીજાને આપણે આવકાર્ય બનીએ, આદેય-કર્મ કે જેનાથી આપણું વચન બીજાને માન્ય થાય, સુસ્વર નામકર્મ, એમ સારું શરીર, સારા વર્ણ વગેરે, સારું ગોત્રકર્મ... આવાં આવાં શુભ કર્મ બંધાય. મનના ભાવ અશુભ હોય તો આ બધાથી ઊલટાં આશાતાકર્મ અપયશકર્મ દૌર્ભાગ્ય-અનાદેય-દુઃસ્વર નામકર્મ, નીચ ગોત્ર, અશુભ વર્ણાદિ વગેરે અશુભનો જથો ભેગો થાય. શુભ ભાવમાં કેટલા લાભ ? : (૧) ત્યારે વિચારવા જેવું છે કે શ્રાવિકા ચૂલો ફૂંકતાં પણ પાપ-હિંસાનો ખેદ, જીવોની દયા, સંસારની ગ્લાનિ, મોક્ષની લાલસા વગેરે શુભ ભાવમાં ચડે એમાં કેટલો શુભ કર્મોનો લોટ બાંધે ? એ શુભ ભાવ રહે ત્યાં સુધી સમયે સમયે એ બાંધે. એક આંખના પલકારામાં અસંખ્યવાર એ લોટ બાંધે. (૨) પછી કુદરતી કે આ શાતા વગેરે બંધાતા હોય ત્યાં સુધી અશાતા અપયશ વગેરે અશુભ કર્મો બંધાતા અટકી જાય એ લાભ જુદો. (૩) વળી ત્રીજો લાભ એ, કે શુભના બંધ વખતે જૂના બાંધી મૂકેલા વિરોધી અશાતાવેદનીયાદિ અશુભ કર્મોમાંથી કેટલાય કર્મપુદ્ગલો આ શુભના ભેગાં ભળી જાય, અર્થાત્ એનું આમાં સંક્રમણ થાય, એટલે એ અશુભ મટીને શુભ થઈ જાય ! લીમડાના રસનો વાટકો શેરડીના રસમાં તાવડામાં પડે તો એ કડવાશ ગુમાવી મિઠાશ પામે ને ? એવું અહીં શુભ ભાવ વખતે બંધાતા મીઠા શાતા વેદનીય કર્મમાં જુનાં કેટલાંક કડવા અશાતાકર્મ ભળી જઈ મીઠા શાતા વેદનીય રૂપ બની જાય. એવું બીજા યશકર્મ વગેરેમાં થાય. આનું નામ સંક્રમણ. એનો ય લાભ થાય. (૪) એવું શુભ ભાવ વખતે જુના અશુભ કર્મોની સ્થિતિ-રસ પણ કપાતા આવે, એ અપવર્તના કહેવાય. એમ જુનાં શુભ કર્મોનો રસ વધતો આવે એ ઉદવર્તના. એનો ય લાભ મળે. (૫) વળી, શુભ ભાવ વખતે, આમ અશુભ ભાવમાં જે ‘ઉદય પ્રાપ્ત કષાયમોહનીય' કર્મ પોતાનો રસાનુભાવ દેખાડત, તે ન દેખાડી શકે અને એને એમ જ ચાલ્યા જવું પડે. દા.ત. ક્ષમા-દયાનો શુભ ભાવ જાગ્યો, એ વખતે ઉદય પ્રાપ્ત ક્રોધકર્મ પોતાનો ગુસ્સો ક્રુરતા વગેરેનો અનુભવ ન કરાવી શકે અને એ કર્મને એમ જ ખરી જવું પડે. આને પ્રદેશોદયથી કર્મક્ષય થયો કહેવાય. રસાનુભવ કરાવે એનું નામ વિપાકોદય, ન કરાવે એ પ્રદેશોદય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy