________________
૩૫
ધ્યાન અને જીવન બાકીના ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યા ! વીતરાગ સર્વજ્ઞ બન્યા ! પછી આયુષ્ય પૂર્ણ થયે મોક્ષ પામ્યા ! એક મહર્ષિની હત્યા કરવાનું ઘોર પાપ, અને તે જ ભવમાં મોક્ષ ? આ બનવાજોગ છે ? છતાં કેમ બન્યું ? ઉત્કૃષ્ટ શુભ ભાવ વિના તો બને જ નહિ ને ? તો અહીં કયા એવા શુભ ભાવ આવ્યા ? કહો, પાપ-દુષ્કૃત્યના જ્વલંત ભડભડ સળગતા સંતાપ-ખેદ-પશ્ચાત્તાપનો ભાવ એ જ પ્રબળ શુભ ભાવ તરીકે ઊભો થઈ ગયો. જેવી રીતે કોઈ સુકૃતની અનુમોદનાનો ભાવ એ શુભ ભાવ છે, એમ પાપના સંતાપનો ભાવ એ પણ શુભ ભાવ છે, જેમકે ભરવાડણના છોકરાએ ખીરના સુપાત્રદાનનું સુકત કર્યું, પછી એની ઠેઠ એ જ રાત્રે મરતાં સુધી ભારોભાર અનુમોદના કર્યો ગયો, તો એ અનુમોદનાના શુભ ભાવે એને મોટો શાલિભદ્ર બનાવ્યો, એમ પાપકૃત્યનો પશ્ચાત્તાપ પણ શુભ ભાવ હોઈ આત્માને ઊંચે ચડાવી દે છે. બસ, તો આજ રીતે પેલી શ્રાવિકાનો રસોઈ કરતાં ટૂકાય જીવસંહારનો ૧. સંતાપ-ખેદ-પશ્ચાત્તાપ એ પણ શુભ ભાવ છે. એવી એ નિરપરાધી જીવો પ્રત્યે ભારોભાર ૨. કરુણાની લાગણી થઈ આવી, હૈયું પીગળી ગયું, એ પણ શુભ ભાવ છે. એમ આવા સંહારમય ૩. સંસાર પર જે ગ્લાની થઈ એ પણ મહાન વૈરાગ્યનો શુભ ભાવ છે. વળી ૪. સંયમ ચારિત્રની કાંક્ષા જાગી એ ય શુભ ભાવ છે.
હવે આ શુભ ભાવ એને શી શી બક્ષીસ આપે એ જુઓ. શુભ ભાવથી કઈ બક્ષીસો?? શુભ ભાવ શુભ કર્મોનો લોટ આપે ?
જીવ પ્રતિસમય કર્મ બાંધે છે. એક સમય પણ ખાલી જતો નથી, સમયે સમયે કર્મબંધ ચાલુ જ રહે છે. જેવી રીતે ભાવ બે જાતના શુભ અને અશુભ, એમ આ કર્મ પણ બે જાતના શુભ અને અશુભ. બન્ને પ્રકારનાં કર્મમાં પણ જથો છે, લોટ છે. એમાં શુભ કર્મ કરતાં અશુભનો જથો મોટો, કેમકે અશુભ કર્મોના જથામાં જ્ઞાનાવરણ કર્મો, દર્શનાવરણ કર્મો, મોહનીય કર્મો, અંતરાય કર્મો આવે. એના વિરોધીભૂત કોઈ એવાં કર્મ નથી કે જે શુભના જથામાં આવે. અલબત્ જ્ઞાનાવરણ કર્મ પાંચ, દર્શનાવરણ ચાર, અંતરાય કર્મ પાંચ અને કષાયમોહનીય વગેરે કર્મ એવો છે કે જે શુભ ભાવથી શુભ કર્મ બંધાતી વખતે પણ બંધાય, છતાં શુભ ભાવના પ્રતાપે એ કર્મોનો રસ ઓછો બંધાય. એથી એના ભોગવટા વખતે એ એવી તીવ્રતા ન લગાડે.
હવે જુઓ. શુભ ભાવથી શુભ કર્મો બંધાય. એના જથામાં શું શું આવે ? પહેલું શાતા વેદનીય કર્મ આવે, જેના ઉદય વખતે જીવને સુખશાતાનો અનુભવ થાય. ત્યારે કહો છો ને કે શરીર સારુ નિરોગી સ્વસ્થ, તો બધું સારું, બધો ય ધર્મ
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org