SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૪ મી ધ્યાન અને જીવન - (૪) જેવા ભાવ તેવી ઉદ્વર્તના-અપવર્તન, અર્થાત્ શુભ કે અશુભ કર્મની સ્થિતિની વૃદ્ધિ યા લાસ. એટલું જ નહિ, પણ (૫) જેવા ભાવ તેવા મોહનીય કર્મના ઉદય કે ક્ષયોપશમ થાય. બોલો, અંતરના પરિણામ, ભાવ, અધ્યવસાય કેટકેટલી અસરો ઊભી કરે છે ? - ક્રિયા કદાચ ધર્મની હોય અને એમાં ભાવ બગાડે તો બાહ્ય ધર્મ બાજુએ રહી જાય અને બગડેલા ભાવથી અશુભ કર્મબંધ-સંસ્કરણ-કર્મસંક્રમણ વગેરે કેટલાં ય અહિતની લોથ ઊભી થાય. એથી ઊલટું, ક્રિયા પાપની હોય પણ અંતરમાં ભાવ શુભ ઊભો થયો તો શુભ કર્મબંધ, શુભ સંસ્કરણ, અશુભ કર્મોનું શુભમાં સંક્રમણ, અશુભ કર્મોની સ્થિતિ પર કાપ વગેરે કેટલું ય કલ્યાણ ઊભું થાય. દા.ત. જુઓ - ચૂલો સળગાવતાં શુભ વિચાર ! કોઈ શ્રાવિકાને ચૂલો સળગાવવાનો અવસર થયો, ચૂલો સળગાવે છે, પણ એના દિલમાં ગડમથલ ચાલી કે “અરે ! આ સંસારમાં રહ્યા કેવા જીવસંહાર કરવા પડે છે ? ચૂલામાં કેટલા અગ્નિકાય જીવો જન્મી જન્મી મરશે ? તો કેટલા ઊડતા કે ખૂણે ખાંચરે ભરાઈ રહેલા ત્રસ જીવો મરશે ? કેટલા અસંખ્ય વાયુકાય જીવો સળગી મરશે ? ત્યારે આના પર રસોઈ થશે તેમાં વનસ્પતિકાય. અપકાય વગેરે કેટકેટલા મરવાના ? અ રે રે ! આ જીવોએ મારો શો અપરાધ કર્યો છે કે હું એ બિચારાને મરણાન્ત પીડા દઈ સંહાર કરું છું ? તે ય રોજને રોજ ? કેવો આ સંસાર ? ક્યારે આ પકાય જીવોના કૂટામય સંસારથી છૂટીશ ?' ચૂલો સળગાવતાં શુભ ભાવ કયા કયા?? હવે વિચારો, આ ચૂલો સળગાવતાં કેટલા શુભ ભાવ અંતરમાં ઉછળી રહ્યા છે ? એને (૧) હિંસાપાપનો ભારે ખેદ છે, (૨) જીવો પર દયા છે, (૩) સંસાર પર ઉગ છે અને (૪) ચારિત્રની અભિલાષા છે. પાપક્રિયાઓ તો કરવી જ પડે છે. પરંતુ હૈયું શુભ ભાવમાં રમી રહ્યું છે. આમાં કર્મોનો બંધ કેવો, સંક્રમણ કેવું, સંસ્કરણ કેવું... વગેરેનો વિચાર કરો. ધ્યાન રાખો કે પાપનો-દુષ્કૃત્યનો ખેદ સંતાપ છે, એ પણ મહાન શુભ ભાવ છે. ઝાંઝરિયા મુનિના ઘાતક રાજાને પછીથી પોતાના એ ઘોર અપકૃત્યનો ધીખતો ખેદ, સંતાપ, પશ્ચાત્તાપ જાગતો વધતો થઈ ગયો. તો એમાં મોહનીય કર્મોનો વિધ્વંસ કરતાં કરતાં અંતે વીતરાગ બન્યા ! અને પછી તરત જ જ્ઞાનાવરણ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy