________________
ધ્યાન અને જીવન
ઉદ્ભટ સાધનોનો ઉપયોગ વગેરેએ માનવજાતની વિચારસરણી અધમ, કલુષિત, તામસી બનાવી દીધી છે.
જો
એમાં જ સંવેગ-વૈરાગ્ય-નીતિ, જિનવાણીનું શ્રવણ, જિનભક્તિ, સાધુ-સમાગમ, તીર્થયાત્રાકરણ વગેરે મળે તો વિચારસરણી સારી ચાલવા લાગે છે. આચારની વિચાર પર અસર છે, ને વિચારની કર્મ તથા સંસ્કાર પર અસર છે. મહાવીર પ્રભુના ખુદના હસ્તદીક્ષિત શિષ્ય અવધિજ્ઞાની મહર્ષિ શ્રી ધર્મદાસગણી મહારાજ ‘ઉપદેશમાળા' શાસ્ત્રમાં લખે છે કે -
હું જે સમયે જીર્યા આવિસઈ જેણ જંગ ભાવેણ । સૌ સંમિમિ સમએ સહાસરૂં બંધએ કર્માં ||
અર્થાત્ જે જે સમયે જીવ જેવા જેવા (શુભ કે અશુભ) ભાવથી યુક્ત બને છે, તે તે સમયે (તેટલા પ્રમાણમાં) એ શુભ કે અશુભ કર્મ બાંધે છે, શુભ ભાવથી શુભ કર્મ અને અશુભ ભાવથી અશુભ કર્મ બંધાય. આપણે ત્યાં કહેતી છે –
‘ક્રિયાએ કર્મ, ઉપયોગે ધર્મ, પરિણામે બંધ.'
૩૩
(૧) જેવી ક્રિયા કરો તેવા કર્મી કહેવાઓ. વેપારની ક્રિયાથી વેપારી, મારવાની ક્રિયાથી હિંસક, બચાવવાની ક્રિયાથી રક્ષક-દયાળુ વગેરે... વગેરે... અથવા ક્રિયાએ કર્મ એટલે જેવી ક્રિયા કરો તે પ્રમાણે કર્મભૂમિકા યાને ભાવ ઉત્પન્ન થાય.
(૨) ‘ઉપયોગે ધર્મ’ એટલે દેવદર્શનાદિ બાહ્ય ધર્મક્રિયા ગમે તેટલી કરો, પણ એમાં ચિત્તનો જેટલો ઉપયોગ હોય, જેટલી જાગૃતિ હોય, એટલો આંતરિક ધર્મ ગણાય અને એ ઉપયોગ જ પાપ-ક્ષયાદિનો લાભ આપે. બાહ્ય ધર્મક્રિયા છતાં ચિત્ત બહારમાં રખડતું હોય તો એ આંતરિક ધર્મ ન થયો. ચિત્તનો ઉપયોગ એટલો ધર્મ.
(૩) ‘પરિણામે બંધ' એટલે આત્માના જેવા શુભ અશુભ પરિણામ, ભાવ, અધ્યવસાય એ પ્રમાણે શુભાશુભ કર્મનો બંધ થાય.
આમાં પણ એજ આવીને ઊભું રહ્યું કે
(૧) જેવા ભાવ તેવો બંધ. એકલો બંધ જ નહિ, પણ
(૨) જેવા ભાવ તેવું સંસ્કરણ પણ થાય. એટલું જ નહિ, પણ
(૩) ભાવના અનુસારે કર્મોનું સંક્રમણ યાને પુણ્યમાંથી પાપમાં કે પાપમાંથી પુણ્યમાં પરિવર્તન થાય. હજી આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org