SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨ ધ્યાન અને જીવન | ધ્યાનને જીવન સાથે કેમ મુખ્ય સંબંધ છે? જીવન શું છે? કોઈ વર્તાવ, કોઈ વાણી, યા કોઈ ભાવ-લાગણી, વિચાર. ઊંઘીએ તો પણ એ એક જાતનો વર્તાવ છે, ને ઈન્દ્રિયોથી કાંઈ જોઈએ, સાંભળીએ, ચાખીએ વગેરે અથવા કાયાના ગાત્ર હલાવીએ તો ય એ વર્તાવ છે. એમ બોલીએ એ વાણી છે અને વિચારીએ, ભાવ-લાગણી-મનોરથ કરીએ એ વિચાર છે. જડને આ કોઈ વર્તાવ, વાણી કે વિચાર નથી, તેથી એને જીવન નથી. ઝેર ખાય તો મારે, એ ઝેરનો સ્વભાવ છે, ઝેરનું કાર્ય છે, પણ ઝેરનું એ જીવન નથી. જીવન ચેતન આત્માને હોય છે અને તે એને સ્વાધીન છે. આત્માનું સ્વાતંત્ર્ય : કેવા વર્તાવ, વાણી, વિચાર કરવા, એમાં આત્મા પોતે સ્વતંત્ર છે સરમુખત્યાર છે. અલબત્ પ્રવૃત્તિ આયુષ્ય બળ વગેરે સામગ્રી પહોંચે એટલા પ્રમાણમાં કરી શકે, છતાં સ્વાધીન એટલા માટે કે પોતાની મરજી મુજબ વાણી-વિચાર-વર્તાવને પ્રવર્તાવી શકે છે, પલટાવી શકે છે અને અટકાવી પણ શકે છે. આપણું મહત્ત્વ સમજો : આપણે જે આપણા આત્માનું આ મહત્ત્વ સમજીએ, “વાણી-વિચાર-વર્તાવ ઉપર આપણું વર્ચસ્વ છે', એ મન પર લઈએ, તો આપણને લાગે કે આપણે એક સમ્રાટ રાજા જેવા છીએ અને જેમ રાજા પોતાના નોકર-પરિવાર પર હુકમ કાઢે તે પળાય, એમ આપણે આપણા શરીર અવયવો ઈન્દ્રિયો વાણી અને મનને હુકમ કાઢીએ તે પ્રમાણે એ ચાલે. આવું આપણું વર્ચસ્વ સમજાયાથી એ કાયા વગેરેને હુકમ કરીને અસતુ-અશુભ-દુષ્ટ વર્તાવ-ઉચ્ચારણ-વિચાર અટકાવી શકીએ. બહાર કોઈના પર હકમ કરીએ છીએ એમ અંદર આ કાયા, ગાત્રો વગેરેને હુકમ કરવાનો કે “આ અશુભ વર્તવું બોલવું-વિચારવું રહેવા દે, આ શુભ-સારું વર્ત, વિચાર, બોલ.' વિચારની મોટી અસર : જીવન એ વર્તાવ, વાણી, વિચાર છે અને એની આત્મા પર અસર પડે છે. એમાં ખાસ કરીને વિચારની ભારે અસર પડે છે, એ આત્મામાં તેવા તેવા સંસ્કાર, સંસ્કારનાશ, કર્મબંધ અને કર્મક્ષય ઊભા કરે છે. તો શું વાણી-વર્તાવની અસર નથી ? છે, એની વિચાર પર મોટી અસર છે. સ્ત્રી પર આંખ લગાવ્યા કરે તો અસતુ મલિન વિચાર ચાલે છે, વીતરાગની મૂર્તિ પર ટસીને જોયા કરે તો શુભ વિચારધારા ચાલે છે. એટલે આજના સિનેમાદર્શન, રેડિયો સંગીતશ્રવણ, છાપા વાંચન, શોખ-સગવડના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy