SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન છઠ્ઠી ગાથામાં : એ પ્રભુને ‘કીર્તન-વંદન-પૂજન કરાયેલા તથા શ્રેષ્ઠ સિદ્ધ' તરીકે જોવાના અને એમની પાસે ‘આરુગ-ભાવ-આરોગ્ય' મોક્ષ માટે ‘બોધિલાભ’ યાને જૈનધર્મની સમ્યગ્દર્શનાદિની તથા ઉત્તમ ભાવ-સમાધિની માગણી કરતા હોઈએ એમ જોવાનું. સાતમી ગાથામાં ઃ એ ભગવાનને ચંદ્રો કરતાં બહુ નિર્મળ, સૂર્યો કરતાં અતિ પ્રકાશકર અને સમુદ્રો કરતાં અતિશય ગંભીર સિદ્ધ તરીકે જોવાના અને એમની પાસે મોક્ષ માગતા હોઈએ એમ ધારવાનું. આમ આખા લોગસ્સની લીટીએ લીટીનો પદાર્થ નજર સામે ખડો કરી એના પર મન ચોંટાડવાનું. આ રીતે ‘લોગસ્સ'નું ધ્યાન થાય. રોજ પ્રભાતે જાગીને એકવાર પણ આ ધ્યાન કરવામાં આવે એમાં તો કેટલાય પાપકર્મોનો નાશ થાય અને અથાગ પુણ્ય બંધાય. એક તીર્થંકર ભગવાનને વંદના-સ્તુતિનું ય અચિંત્ય ફળ મળે છે, તો ચોવીસ અને સાથે અનંતા તીર્થંકર પ્રભુને વંદના-સ્તુતિ કરવાનું કેટલું ગંજાવર ફળ મળે ! વાત આ છે કે મનને રખડતું કે અશુભ પદાર્થોમાં ચોંટી જતું અટકાવી દિવસના મંગલ પ્રારંભે નવકાર અને લોગસ્સના ધ્યાનમાં મન ચોંટાડવું જોઈએ. ૩૧ * * * ૫. શુભ ભાવના ભવ્ય લાભ ને ઉપાય મનને સ્થિર અને નિર્મળ કરવા માટે ધ્યાનના આ પ્રારંભિક પ્રકારોની વાત થઈ પરંતુ આપણો મુખ્ય વિષય આ છે કે - ધ્યાનને જીવન સાથે શો સંબંધ છે ? Jain Education International આમાં બહુ વિચારવાનું છે. આપણે એ સંક્ષેપમાં જોઈશું કે ધ્યાનને જીવન સાથે કેમ મુખ્ય સંબંધ છે ? ધ્યાનના પ્રકાર કેટલા અને કયા કયા ? હવે દરેકનું સ્વરૂપ શું ? જીવનમાં એ ક્યાં ક્યાં કામ કરે છે ? હૃદયમાં તે તે ધ્યાન હોવાનાં બાહ્ય લક્ષણ ક્યાં ? તે તે ધ્યાનનું ફળ શું ? ઈત્યાદિ ઈત્યાદિ. આમાં પહેલી વાત - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy