________________
-(૩૦) ધ્યાન અને જીવન ! બીજી ત્રીજી-ચોથી ગાથા :
હવે પહેલી ગાથા પછીની ત્રણ ગાથામાં ચોવીસ ભગવાનના નામ સાથે એમને વંદન છે. એમાંની દરેક ગાથામાં આઠ-આઠ ભગવાનનાં નામ છે. તે પણ દરેક લીટીમાં કોઈમાં એક, કોઈમાં બે, કે કોઈમાં ત્રણ નામ છે. તો જે જે લીટીમાં જેટલા જેટલા નામ છે, તેટલા તેટલા ભગવાન તે તે લીટી બોલતાં નજર સામે લાવવાના. એનો ક્રમ આ મુજબ છે, કે બીજી ગાથામાં પહેલી લીટીમાં બે ભગવાન, બીજી લીટીમાં ત્રણ ભગવાન... વગેરે.
ગાથા-૨ ગાથા-૩ ગાથા-૪
به
سه
می
به
અને આ પ્રમાણે નજર સામે લાવવાના :
૦ ૦ ૦ ૦ ૦ ૦ оооооооо ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦. આ દરેકમાં પ્રભુ બેઠા છે, એમ જોવાનું અને તે લીટીમાં આવતું નામ બોલવાનું. જેમકે, પહેલી લીટીમાં “ઉસભ-મજિ” આમાં સાથે ‘વંદે છે, અર્થાત્ વંદુ છું' એમ છે, ને તે દરેક ભગવાનને લાગુ થાય છે. તો આપણે તે તે નામ બોલતાં એ દરેક ભગવાનના ચરણમાં હાથ જોડી માથું નમાવી વંદન કરીએ છીએ એમ જોવાનું. અભ્યાસ પાડતાં આ આવડશે. એ માટે પહેલાં તો ધીમે ધીમે એકેક નામ બોલતા જઈએ અને એની સાથોસાથ તે તે કુંડાળામાં તે તે ભગવાનને જોતા ને વાંદતા જઈએ,... એમ આગળ વધવાનું. પાંચમી ગાથા:
આની પછી પાંચમી ગાથામાં એ “ચઉવી સંપિ” અર્થાત્ ચોવીસ પણ એટલે કે આજુબાજુ અનંતા તીર્થકર સાથે વચમાં આ ચોવીસ ભગવાનને સામે રાખી આપણે - સ્તુતિ કરતા હોઈએ એમ જોતાં એમને “નિર્મળ અને અજર-અમર' તરીકે જોવાના
અને પ્રાર્થના (આશંસા) કરવાની કે “એ ચોવીસ પણ જિનવર મારા પર કૃપા કરો, એમનો પ્રભાવ હું ઝીલું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org