________________
ધ્યાન અને જીવન
૨૯
વીજળીની સ્વીચ દાબતાં ઝટ લાઈટ થાય, એમ તે તે પદ બોલતાવેંત સામે તે તે પરમેષ્ઠી એમના એમના પોઝમાં ઝટ દેખાઈ જાય. બહુ અભ્યાસ કરવાથી આ શક્ય બને છે.
પછી છેલ્લા ચાર પદ વખતે નજર સામે એ પાંચે પૃથ્વી પર અનંત પરમેષ્ઠી ભગવંતો રહીને આપણે એમને નમસ્કાર કરી રહ્યા છીએ અને આ નમસ્કાર સર્વ પાપોને બહાર ફેંકે છે, ને સર્વ મંગળમાં શ્રેષ્ઠ મંગળ તરીકે અંતરાય કર્મોનો ચૂરો કરે એ ધારવાનું.
આમ નવકારના પદાર્થનું ધ્યાન થાય. રોજ પ્રભાતે ઊઠીને સ્વસ્થ ચિત્તે આંખ મીંચી આ ધ્યાન કરવામાં આવે, એ ચિત્તને ખૂબ નિર્મળ કરવા સાથે શ૨ી૨ને પણ સ્ફુર્તિ આપે છે અને એની આખા દિવસ પર છાયા પડે છે, રોજ ને રોજ એ કરતાં કરતાં ચિત્તને સ્થિરતાનો અભ્યાસ મળે છે.
‘લોગસ્સ’નું પદાર્થ-ધ્યાન ઃ
હવે જુઓ કે જેમ નવકારનું પદાર્થથી ધ્યાન કરાય, એમ ‘લોગસ્સ' સૂત્રનું પદાર્થ-ધ્યાન થઈ શકે. ‘લોગસ્સ'ની પહેલી ગાથામાં ‘લોકના ઉદ્યોતકર, ધર્મ-તીર્થંકર, જિન અને અરિહંત એવા ચોવીસ પણ કેવલીનું હું કીર્તન કરીશ' આ કહેવું છે. આમાં પદાર્થ એ જોવાનો કે ‘ચોવીસ પણ' એટલે કે બીજા તો ખરા જ, સાથે વર્તમાન ચોવીસીના ચોવીસ ભગવાન પણ. આથી આપણી નજર સામે આગળ ચોવીસ અને એમની જમણી ડાબી બાજુ અનંત તીર્થંકરદેવો આવે. એ કેવી મુદ્રામાં આવે ? તો કે (૧) લોકના ઉદ્યોતકર, (૨) ધર્મતીર્થંકર, (૩) જિન અને (૪) અરિહંતની મુદ્રામાં, એની મુદ્રાઓ કેવી કેવી નજર સામે લાવવાની ? તો કે (૧) સર્વજ્ઞ થયા તે વખતના ગોદોહિકા (ગાય દોહવાના) આસને, તે લોકના ઉદ્યોતકર, (૨) ધર્મતીર્થ-સ્થાપન વખતના દેશના દેતા, તે ધર્મતીર્થંકર, (૩) કાઉસ્સગ્ગ ધ્યાને રાગાદિ જીતતા, તે જિન અને (૪) આઠ પ્રાતિહાર્યયુક્ત સિંહાસન પર બેઠેલા, તે અરિહંત.
-
આમાં પહેલામાં, બધા કેવળજ્ઞાન પામવા વખતે ઊભડક રહેલા દેખાય. બીજામાં, સમવસરણ પર બેસી બોલતા દેખાય. ત્રીજામાં, આ સ્થિતિ લાવવા પૂર્વે ધ્યાનમાં ઊભેલા અને ભક્ત કે શત્રુ પર રાગ-દ્વેષને રોકનારા દેખાય. ચોથામાં, આઠ પ્રાતિહાર્યો શોભતા બેઠેલા જોવાના.
અથવા ‘ઉજ્જોઅગરે' બોલતાં પ્રભુના હૃદયમાં કેવળજ્ઞાનનો પ્રકાશ જોવાનો, ‘તિત્શયરે’ બોલતાં ઉપર મુખ બોલતું દેખાય, તરત ‘જિજ્ઞે’ બોલતાં ઉપર આંખમાં વીતરાગતા દેખાય, તરત ‘અરિહંતે' બોલતાં મુખની બાજુમાં ચામર વીંજાતા દેખાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org