________________
૨૮
ધ્યાન અને જીવન
પાદપીઠ પર પ્રભુના પગ સ્થપાયા છે. (૨) બે બાજુ ચામર વિંજાય છે. (૩) મસ્તક પાછળ સૂર્ય જેવું ભામંડળ-પ્રકાશ પુંજ છે. (૪) ઉપર રત્ન-મોતીમય ઝુમખડાં (સેરો) વાળા ગોળ ત્રણ છત્ર છે. (૫) પ્રભુની પીઠ પાછળ ઊંચું અશોક વૃક્ષ, (૬) આકાશમાંથી પડતી પુષ્પવૃષ્ટિ, (૭) ગગનમાં વાગતી દેવદુંદુભી અને (૮) પ્રભુ પાસે બંસરી વગાડતા દેવોની દિવ્યધ્વનિ છે. આમ અષ્ટ પ્રાતિહાર્ય એટલે કે શોભા કરનાર પરિવારથી અરિહંત પરમાત્મા શોભી રહ્યા છે.
સિદ્ધ ભગવાન સ્ફટિક જેવા નિર્મળ અને જ્ઞાન-જ્યોતિમય છે એ રત્નમય સિદ્ધશિલા પર બિરાજમાન છે.
આચાર્ય મહારાજ વ્યાખ્યાનપીઠ પર બિરાજી ચતુર્વિધ સંઘને દેશના આપી રહ્યા છે.
ઉપાધ્યાયજી મહારાજ બાજઠ પર બિરાજેલા છે, વાચના આપે છે અને એમની આગળ અર્ધગોળ માંડલીમાં મુનિ મહારાજો હાથ જોડી વાચના સાંભળી રહ્યા છે.
સાધુ મહારાજ કાયોત્સર્ગ ધ્યાને ઊભા છે. મુખ પ્રશાંત, આંખ અર્ધ મીંચેલી અને દૃષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર સ્થાપેલી છે.
હવે નવકારના પહેલા પાંચ પદ ગણવા માટે સામે પાંચ પૃથ્વી પાંચ મજલા જેવી ધારવાની, પછી એકેક પદ બોલીએ ત્યારે એક-એક પૃથ્વી તે તે પરમેષ્ઠિઓથી ભરચક ભરેલી દેખાય. દા.ત. ‘નમો અરિહંતાણં' બોલતાં સામે અષ્ટ પ્રાતિહાર્યયુક્ત અરિહંત ભગવાનોથી ભરચક ભરેલી દેખાય.
‘અરિહંતાણં’ એ બહુવચન-પ્રયોગ છે. એમાં સર્વ કાળના અનંત અરિહંત લઈ શકાય. માટે સામે પૃથ્વી પર અનંત અરિહંત જોવાના અને માનસિક બે હાથ જોડી આપણું માથું નમે છે એમ ધારવાનું. પછી ‘નમો સિદ્ધાણં' બોલતાં ઉપરની પૃથ્વી સિદ્ધશિલાની, એના પર અનંત સિદ્ધભગવાન જોવાના અને એમને નમસ્કાર કરવાનો. ત્યારબાદ નીચે પૃથ્વી પર દેશના દેતા અનંતા આચાર્ય મહારાજોથી એ ભરચક ભરેલી જોતાં ‘નમો આયરિયાણં' પદ બોલાય ને નમસ્કાર થાય. તે પછી એની નીચે પૃથ્વી પર ચોથું પદ બોલતી વખતે ભણાવતા ઉપાધ્યાયો અનંત દેખાય, ને નમન થાય. છેલ્લે, નીચેની પૃથ્વી પર, પાંચમું પદ બોલતાં કાઉસ્સગ્ગ-ધ્યાને ઊભેલા અનંત મુનિમહારાજ દેખાય અને એમને નમસ્કાર થાય.
અભ્યાસથી પદોચ્ચારણ એ સ્વીચદાબ :
આ દેખવા બહુ અભ્યાસ કરવો પડે. બહુ અભ્યાસ પછી તો કેમ, તો કે જેમ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org