________________
ન ધ્યાન અને જીવન ૨૭હૃદયકમળ પર એકસો આઠ કેમ ગણવા?
ઉ. - એ સહેલું છે. આપણા હૃદયકમળને વારાફરતી સિદ્ધચક્રજીના ગટાના એકેક સ્થાન પર રહેલું ધારવાનું. પહેલાં, વચ્ચેના અરિહંતના સ્થાનની જગાએ, એના પર નવ નવકાર પૂરા થાય, પછી બીજા સિદ્ધ ભગવાનના સ્થાન પર હૃદયકમળ ધારવાનું. એની ઉપર નવ નવકાર ગણવાના. પછી ત્રીજા આચાર્યપદના સ્થાનની જગા પર હૃદયકમળની ધારણા... એમ નવમી વાર નવમા સ્થાન પર હૃદયકમળ. ત્યાર બાદ સિદ્ધચક્ર યંત્રના ઉપરના ભાગે કળશના મોં પર, ને ત્યાર પછી એની જમણી બાજુની આંખ ઉપર અને તે પછી ડાબી બાજુએ આંખ પર હૃદયકમળ ધારવાનું. એમ બાર સ્થાનના એકેક પર હૃદયકમળની ધારણાએ નવ-નવ નવકાર ગણાતાં કુલ એકસો આઠ નવકાર જાપ થશે. પદાર્થ પર ધ્યાન :
આ તો નવકારના અક્ષર પર, પદ પર ધ્યાન થયું. આને પદસ્થ ધ્યાન કહેવાય. પરંતુ પદને બદલે પદાર્થ પર અર્થાત્ દરેક પદના અર્થ ઉપર ધ્યાન કરવું હોય તો આ રીતે થાય -
(૧) નજર સામે સમવસરણ લાવવાનું. એમાં વચ્ચે અરિહંત પરમાત્મા બિરાજમાન છે, એમના મસ્તકની ઉપર સિદ્ધશિલા પર સિદ્ધ ભગવાન છે, પ્રભુના ચરણ આગળ જમણી બાજુએ ગણધર-આચાર્ય મહારાજની પંક્તિ છે, એમની નીચે ઉપાધ્યાય મહારાજોની પંક્તિ અને એમની નીચે સાધુ મહારાજોની પંક્તિ છે – એમ ધારવાનું. પછી નવકારનું દરેક પરમેષ્ઠિ પદ બોલતાં તે તે અરિહંત, સિદ્ધ... વગેરે પરમેષ્ઠિ જોવાના. એમ “નમો લોએ સવ્વસાણું બોલતાં સાધુ પંક્તિ જેવાની. સાથે માનસિક નમસ્કાર પણ કરતા જવાય. પછી પ્રવેશદ્વારની આગળની ભૂમિ પર ઉપર ઉપર છઠ્ઠ, સાતમું, આઠમું ને નવમું પદ લખેલું વાંચવાનું, જેથી નવમા પદે ઠેઠ અરિહંત પ્રભુ પાસે પહોંચી જવાશે, ને ફરી ત્યાંથી બીજે નવકાર શરૂ થશે. આ રીતના અર્થધ્યાનમાં છેલ્લા ચાર પદ જોવાને બદલે સમવસરણ પર પાંચે પરમેષ્ઠિને નમસ્કાર કરીને સામે ઊભા રહી છેલ્લા ચાર પદ બોલતાં ધારવાનું કે આ પાંચે નમસ્કાર સર્વ પાપનો નાશ કરી રહ્યા છે, જાણે આપણા દિલમાંથી પાપો બહાર ફેંકાઈ રહ્યા છે કે બળી ખાખ થઈ રહ્યા છે અને આ નમસ્કાર સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળક્રિયા છે, એટલે જાણે એ જબરા પણ અંતરાયકર્મોના ભુક્કા કરે છે. આ સમવસરણની ધારણામાં સામે અનંત સમવસરણ ધારી શકાય. *
(૨) નવકાર પદોના પદાર્થની બીજી રીતે આમ ધારણા થઈ શકે. એમાં - અરિહંત પદાર્થ એટલે આઠ પ્રાતિહાર્યે શોભતા વીતરાગ દેવાધિદેવ (૧) એ રત્નમય સિંહાસન પર, ખુરશી પર બેસે એમ, બેઠા છે અને નીચે રત્નમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org