________________
- માં ધ્યાન અને જીવન | સામે રેખા તો તરવર્યા જ કરે અને એના પરના નવમાંનાં એકેક ફૂલ પર નવકાર ગણાય એથી કઈ રેખા અને કયું ફૂલ ચાલે છે, એ નહિ ભૂલાય. તેમ પદો પણ ચોખ્ખા ચાલવાના. રેખા એકવાર નવ નવકાર સુધી આવી દેખાય. એ પૂરી થયે પછી નવ નવકાર સુધી ઊભી દેખાય. વળી એ પછી આડી, પછી ઊભી. દરેક રેખાની ઉપરના નવ ફૂલ પર નવ નવકાર ગણાય.
(૨) અથવા, દરેક પાંખડીને બદલે આખા ફૂલ પર ઉપરથી નીચે નવકારનાં નવ પદ લખેલા ધારી એ વાંચીને ગણવાના. ફૂલ લાલઘુમ, એના પર નવકારના પદ રત્ન જેવા સફેદ લખેલા જેવાના અથવા ફૂલને બદલે ઊભી પટ્ટી પર પણ નવકારનાં નવ પદ લખેલા જોઈ શકાય.
(૩) અથવા ફૂલની જગાએ એકેક માં, એમ દરેક રેખા પર નવ મુખ દેખાય અને એ દરેક મુખના પણ ખાસ તો હોઠ ફફડતા દેખાવાના અને એ ઓઠ એકેક પદ બોલે છે એ જોવાનું. અનુભવ કરશો એટલે આની બરાબર ધારણા થશે. બોલનાર તરીકે આપણે નહિ, પણ એ સામે મુખનો ઓઠ અને આપણે તો માત્ર જેનાર-સાંભળનાર, આમાં પણ મુખમાંથી ક્રમસર એકેક પદ ઓઠ ફફડીને બોલાઈ રહેલું દેખાશે. દૃષ્ટિ ઓઠની ઉપર કેન્દ્રિત રહે. આ ત્રણમાંથી ગમે તે રીતે સમવસરણના ગઢ ઉપર એકસો આઠ નવકાર ગણી શકાય. હૃદયકમળ પર ધારણા :
સમવસરણના બદલે આપણા હૃદય પર ધારણા કરીને નવકાર ગણી શકાય. હૃદયને લાલઘુમ કમળ ધારવાનું. એમાં વચ્ચે કર્ણિકા અને આજુબાજુ આઠ પાંખડી છે. એ દરેક પર પહેલાં કહ્યું તેમ એકેક પદ સફેદ રત્નમય અક્ષરોનું દેખાય, ને એ વાંચતા જવાનું.
પ્ર. - હવે આમાં પહેલો નવકાર, બીજે નવકાર, ત્રીજે નવકાર - એમ ધારણા શી રીતે રહે?
ઉ. - આ રીતે, કે પહેલો નવકાર ગણાય ત્યારે પહેલું પદ જરા ઘેરું અથવા મોટા અક્ષરનું દેખાય. એ બોલાતાં એના પર ભાર જરા વધુ અપાશે. પછી બીજો નવકાર ચાલુ થતાં બીજું પદ ઘેરું મોટું દેખાશે ને બાકીના ચાલુ લખેલા દેખાય પછી ત્રીજો નવકાર ગણાતાં ત્રીજું પદ જરા ઘેરું કે મોટું દેખાશે. એમ સહેજે ગણત્રીબંધ નવ નવકારનો જાપ થશે. આંકડા નહિ મૂકવા પડે ક્રમસર એકેક પદ ઘેરું, પહેલા નવકારમાં માત્ર પહેલું પદ ઘેરું, બીજામાં માત્ર બીજું, ત્રીજામાં ત્રીજું, એમ ચાલવાનું. - પ્ર. - આ તો નવ નવકાર બરાબર ગણાય. પણ હવે એકસો આઠ ગણવા છે તે શી રીતે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org