SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૨૫ એમાં નિયમ આ, કે ગઢની બહારથી અંદર પેસવાનું અને અંદરના નજીકના ફૂલ પર થઈ ગઢની બહાર નીકળવાનું. પછી બહાર ને બહાર પ્રવેશદ્વારનું ફૂલ વટાવી બીજી બાજુના બહારના ફૂલ ૫૨ થઈ અંદર પેસવાનું... બહારથી અંદર પેસી બહાર નીકળવાનું, આ નિયમ ચિત્રમાં એ પ્રમાણે આંકડા ૧, ૨, ૩, ૪ વગેરે મુક્યા છે. એ ક્રમે ચાલતાં દૃષ્ટિ ઉઠાવવી નહિ પડે, સળંગ ધારાએ ચાલશે. એક રેખાના જાપ અંતે બહાર નીકળ્યા પછી બહારથી ને બહારથી સાથેની રેખાના બહારના ફૂલ પર જવાનું. એમ કરતાં એક ગઢ પર ગણાઈ જાય. પછી એની ઉપરના બીજા ગઢ પર અને ત્યારબાદ સૌથી ઉપરના મોટા ગઢની ઉપર ગણવાનું. એમ એકસો આઠ નવકાર ગણાશે. આમાં આપણે સૌથી નાના ગઢથી શરૂ કરી સૌથી મોટા ગઢ પર ગયા. એમ સૌથી મોટા ગઢથી શરૂ કરી સૌથી નાના પર પણ જઈ શકાય. આ જાપમાં એકાગ્રતા શાથી ? : આમાં મનને બરાબર સજાગ રહેવું પડશે, નહિતર ફૂલ ચૂકાઈ જશે. શંકા પડશે કે ‘કયા ફૂલની ઉપર જાપ ચાલતો હતો, આ કે પેલા ?' આ ભૂલ-ભૂલામણી ન થાય માટે સહેજે મન સાવધાન રહી નવકાર ગણશે, તેથી બીજા વિચાર નહિ ઘૂસે અને એકાગ્ર ધ્યાન લાગશે. આમાં માળા વગેરેની જરૂર નિહ. આંખ મીંચી નજર સામે સમવસરણનું ચિત્ર ખડું કરવાનું, ને હાથ જોડી એના પર જાપ ચલાવવાનો. વીસ-ચાલીસ લોગસ્સનો કાઉસ્સગ્ગ પણ આમ ગઢ પર કરી શકાય. પ્રભાતે આવી રીતે માત્ર એકસો આઠ નવકાર ગણીને જોજો કે મન કેવું શાંત સ્ફુર્તિવાળું બને છે. ત્યારે પ્રશ્ન થાય કે, પ્ર. આમાં તો ધ્યાન તો ફૂલ પર રહેશે ને ? નવકાર તો ધ્યાન વિના એમજ નહિ રટાઈ જાય ? ઉ. ફૂલ તો એક આલંબન છે. એના આધાર પર ધ્યાન નવકાર ઉપર રાખવાનું છે. એ માટે આમ થઈ શકે ધ્યાન ફુલને બદલે નવકાર પર શી રીતે ? (૧) દરેક ફૂલની વચમાં કર્ણિકા છે અને આજુબાજુ આઠ પાંખડી છે. એ નવમાંના દરેક ૫૨ નવકારનું એકેક પદ લખેલું છે, તે વાંચીને ગણવાનું. વચલી કર્ણિકા ઉપર પહેલું પદ, પછી ઉપરની પાંખડી ઉપર બીજું, જમણી બાજુ પર ત્રીજું, નીચે ચોથું, ડાબી બાજુએ પાંચમું, પછી ખુણાઓની પાંખડીઓ પર છ-સાત-આઠ-નવમું, સિદ્ધચક્રના ગટા પર હોય એ રીતે નવ પદ ધારવાના. આમ ધારીને ગણતાં નવકાર પર ધ્યાન રહેશે. આમાં એટલો ખ્યાલ રાખવાનો કે નજર - Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy