SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળી (૧૯) કૃષગજી પર જરાકુમારનું બાણ કૃષ્ણજીને ભારે તરસ લાગી છે, ને બળદેવજી પાણી શોધવા ગયા, અહીં કૃષગજી પગપર પગ ચડાવી સૂતા છે, અહીં જરા કુમાર દૂરથી જુએ છે, તો પગનાં તળિયાંની રેખા હરણ જેવી દેખાય છે. તેથી એણે શિકાર કરવા બાણ છોડ્યું, એ બાણ ઊંચા પગના તળિયાને વીધી સીધું કપાળમાં પેઠું. શ્રી કૃષ્ણ ચીસ પાડી કોણ છે આ મારી હદમાં, જે મને બાણ મારી શકે છે ?' જરાકુમારનું રુદન અને આશ્ચર્ય :જરાકુમાર ભાઈનો અવાજ પરખી દોડતો આવ્યો. ભાઈને હણાયો જોઈ ધ્રુસકે એ છે, “અરે ભાઈ ! તું અહીં ? અને આ સ્થિતિમાં ? મારો ભાઈ ત્રણ ખંડોનો સમ્રાટ વાસુદેવ, હજારો રાજવી સેવકોથી પરિવરેલો રહેનારો, આમ એકલો અટુલો? અને તેય ચિથરેહાલ દશામાં ? કલ્પનામાં ન બેસે એવું આ કેમ બન્યું ? ભાઈની હત્યા જે મારે હાથે ન થાય એ માટે તો હું નિર્જન વનમાં રહ્યો, બાર બાર વરસ જંગલમાં કાઢ્યા, તોય એ ભાઈને હણવાનું અ ૨ ૨ ૨! આ ઘોર પાપ મારા લમણે લખાયું ? ઓ ભાઈ ! ભાઈ !' જરાકુમાર આકંદ કરે છે. કર્મનું કામ કેટલું? અહીં ખૂબી જવાની છે. કૃષ્ણજીને આવી પીડા આવી તે તો પોતાના અશુભ કર્મના ઉદયે આવી. અશાતાકર્મનું કામ આટલું જ કે પીડા આપવી. પરંતુ એમાં એ લખેલું ન હોય કે અમુક જીવથી જ એ પીડા આવે. તેમ એવું ન પણ લખાયું હોય કે “સામો જાણીને જ મારવા આવશે યા અજાણે મારી બેસશે.' તો પછી સવાલ થાય કે - પ્ર0- અહીં કૃષ્ણજી પર ભાઈ જરાકુમારનો જ હલ્લો કેમ આવ્યો ? અને તે પણ ભ્રમણા થવાથી જ હલ્લો કેમ આવ્યો ? અશાતા વેદનીય કર્મની પ્રકૃતિના સ્વભાવમાં તો શારીરિક પીડાજ આપવાનું હોય, પણ અમુક માણસથી જ અને ભ્રમણાથી જ એ પીડા આવે એવું કર્મના સ્વભાવમાં ન હોય. ઉ૦- આનું સમાધાન “ભવિતવ્યતા” એટલે ચોકકસ પ્રકારના બનાવને સરજનાર એક કારાણ. આ કારણ કર્મ, સ્વભાવ, પુરુષાર્થ તથા કાળથી વિલક્ષણ છે. જુદું છે. કર્માદિ ચાર કારણો જે સંયોગ બનવાનું સમાધાન ન આપી શકે, તેનું સમાધાન ભવિતવ્યતા નામના કારણથી થાય. સમરાદિત્યને અગ્નિશર્માને યોગ ભવિતવ્યતાથી - દા.ત. સમરાદિત્યને જન્મ જન્મ પીડા ભોગવવાના કર્મ હતાં, તો તે કર્મથી એમને પીડા આવતી ગઈ. કેમકે પોતાનાં અશુભ કર્મ વિના તો વેઠવાનું આવે નહિ. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy