SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૮) | ધ્યાન અને જીવન ગયા. અને એમણે પોતે જ કૃષણ બળરામને કહ્યું “ભાઈ ! રહેવા દો કર્મ બળવાન છે. ભાવી એમજ હશે. દેવવાણીને મિથ્યા નહિ કરી શકાય.” શું કરે ? એમને મૂકી દેવા પડયા. માતાપિતાનાં કર્મ કેવાં બળવાન ! કૃષ્ણ બળરામ વનમાં - હવે બંને ભાઈ આગળ વનમાં ચાલે છે. પાછળ નજર નાખે છે તો ૧૨ યોજનની સમૃદ્ધ દ્વારિકાને ભડકે બળતી જુએ છે ! કેટલો ખેદ થાય ? પણ કર્મ બળવાન, ત્યાં શું ચાલે ? એક વખતના વાસુદેવ-બળદેવ ત્રાગ ખંડનું સામ્રાજ્ય ભોગવનારા આજે વનમાં ચિથરેહાલ ભટકતા થયા છે ! લ્હાવ-લશ્કર ખત્મ ! પરિવાર ખલાસ ! વૈભવસંપત્તિ ડૂલ!કબગ બળરામને કહે ‘ભાઈ! આપણી આવી કરુણ સ્થિતિ!” ત્યારે બળદેવ શો જવાબ દે છે ? એજ કે ‘બંધુ ! કર્મ બળવાન છે. ભગવાને શીખવ્યું છે કે કરેલાં કર્મનો ભોગવ્યા યા તપ કર્યા વિના મુકિત છૂટકારો ન મળે. બળદેવને મનમાં પૈર્ય છે, આપત્તિ કેટલી મોટી છે ? પરંતુ કર્મબળ ઉપર નજર છે, તેથી કૃષ્ણને આશ્વાસન આપી શકે છે. નહિતર તો એની સાથે એ ય રોદણું રોવા બેસી જાત. તો પૂછોને કે પ્ર- કૃષ્ણજી તો ક્ષાયિક સમકિતી હતા, તો શું એમને કર્મબળની ખબર ન હોય? તો પછી રોદણું શાને ? ઉ૦- ખબર તો ખરી, કિન્તુ જોતજોતામાં ત્રણ ખંડનું સમ્રાટપણું વિખરાઈ જવાથી એની અનહદ માનસિક પીડાના ભારને લીધે તત્કાલ મનમાં કર્મબળનો વિચાર સ્કુરાયમાન નહિ એથી રોદણું આવી જાય. એવા પ્રકારની પીડા ચિત્તને એવું પકડી લે છે કે ચિત્તને ઉપયોગ તત્ત્વ પર ન જાય, રોગની બહુ વેદના હોય તો એવું બને ને ? ત્યાં સમજુને શું ખબર નથી કે કર્મ બળવાન એટલે આવી વેદના ભલે આવે, પણ વેદનાથી એટલા અશુભ કર્મ રવાના થાય છે ? ખબર તો ખરી, પરંતુ તીવ્ર વેદનાની વ્યગ્રતામાં મનનો ઉપયોગ એની પર ન હોય તેથી સહેજ પણ હાયવોય થઈ જાય. (૩) ભવિતવ્યતાનું બળ જબરદસ્ત : વાત એ છે કે કર્મ-બળ જબરદસ્ત છે, એમ ભવિતવ્યતાનું બળ પર જબરદસ્ત છે, કૃષ્ણજીને એટલેથી ક્યાં પત્યું છે ? નેમનાથ ભગવાને એમને બાર વરસ પૂર્વે ભાખેલું હતું કે 'જરાકુમારથી તારું મૃત્યુ છે તે સાંભળી જરાકુમાર જે કૃષગજીનો ભાઈ છે, એ તો હેબતાઈ જ ગયો, અરે ! મારા હાથે ભાઈનું મૃત્યું ? તે નિર્જન વનમાં જ ભાગી ગયો, જેથી એ પાપ ન થાય. પરંતુ ભવિતવ્યતા બળવાન છે તે હવે બરાબર બાર વરસ પછી કૃષ્ણ બળરામને રખડતાં રખડતાં એજ વનમાં લઈ આવે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy