________________
કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ |
E(૧૯૫ દીધી. નવીન ભાતનું આ દેરાસર બન્યું. બહાર કીર્તિ પ્રસરતી ગઈ. હજારો ભાવિકો દર્શને આવતા ગયા. શેઠની છાતી ગજ ગજ ફૂલતી ગઈ. હવે તો આ સુકૃતની ભારે અનુમોદના થાય છે. બંગલાનું ધ્યાન દુર્થાન હતું, એ જ હવે દેરાસર બન્યું, તો એનું ધ્યાન શુભધ્યાન બને છે. પ્રશંસા દેરાસરની જેટલી કરે એ બધી શુભધ્યાનમાં જાય; ત્યારે પ્રશંસા બંગલાની કરે તે આર્તધ્યાનની પોષક બને.
માનવમનની આ કેવી વિટંબણા કે એને રૂડા શુભધ્યાનને બદલે ગોઝારા આર્તધ્યાનમાં સબડાવવાનું ?
૨૦ કાળબળ- કર્મબળ - ભવિતવ્યતાબળ જાલંપટ મન વેશ્યાલંપટ માનવી જેવું છે - માનવમન તો મહા મૂલ્યવંતું છે. પરંતુ આર્તધ્યાન એને કાળું ધુંધરુ અને જાલંપટ બનાવી દે છે. માણસ વેશ્યાલંપટ બનેલો કેવો થાય છે એ જાણો છો ને ? જેવો વેશ્યા પર સ્નેહવાળો, એવો પોતાની સુશીલ પણ પત્ની, માતા, પિતા, કોઈનાય સ્નેહવાળો રહે ખરો ? એનું દિલ આ કોઈનું ય વફાદાર હવે હોય ? ના, બસ એ જ રીતે જડ-લંપટ બનેલું મન સ્વાત્મા, પરમાત્મા, ગુરુ, સાધર્મિક કે કોઈ પણ દાન વગેરે ધર્મ પર સ્નેહવાળું બને નહિ; એવું મન આ કોઈનું ય વફાદાર કે સમર્પિત થાય નહિ. એ તો મુખ્યપણે જડને જ જવાનું; કાયા-કંચન-કીર્તિ-કુટુંબ વગેરેનું જ અનુકૂળ જોયા કરે; ત્યાં આત્મચિંતા શાની થાય ? આર્તધ્યાન જ સળગ્યા કરે; એના પર શોક-ઉગ, યા સ્વકૃતની પ્રશંસા થયા કરશે.
જીવની ઘેલી ઝંખનાઓ કેવી કેવી ? :આર્તધ્યાનનું એક લક્ષણ એવું પણ બને છે કે જગતની સમૃદ્ધિ, વૈભવ, વેપાર, સત્તા સન્માન વગેરેની પ્રશંસા ચાહના કર્યા કરતો હોય, મોંઢેથી એક યા બીજા રૂપે બોલે, જેમકે ‘દાક્તરી ધંધો સારો ! પૈસાનો ઢગલો થાય. છોકરાને એ જ ધંધો લેવરાવું.” અથવા ‘પાસે બે ચાર લાખ હોય તો દુનિયામાં વટબંધ રહી શકાય.’ યા ‘મોટા ઓફિસર થઈએ તો રુઆબ પડે, સત્તા ચાલે.” અથવા “એકાદ સંઘ કાઢીએ, ઉપધાન કરાવીએ, તો લોકોમાં પ્રતિષ્ઠા જામી પડે. બબલાને સારી કન્યા મળે.’ યા ‘કોઈ ટ્રસ્ટ ખાતામાં ટ્રસ્ટી યા સંઘમાં હોદ્દેદાર બનીએ તો સન્માન સારું મળે. વેપારીઓ સાથે ઓળખાણ પણ વધે; આપણને માલ સસ્તામાં મળે...'
જાલંપટતામાં શું શું ગુમાવે ? :
આ બધી કેવી કેવી ઝંખનાઓ છે ? જીવ એમાં એવો કેમ જકડાયેલો રહે છે અંતરમાં એનાં આર્તધ્યાત રહ્યા કરે છે માટે. મોહરાજાની મોહિની છે કે જીવને આંજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org