________________
ધ્યાન અને જીવન
૧૯૬
દઈ આર્તધ્યાનમાં સબડતો રાખીને એવી ઘેલી ઘેલી ઝંખનાઓ કરાવ્યા કરે છે. વળવાનું કેટલું ? માલ નહિ, છતાં લંપટતા જડની.
માનવજીવનમાં શું કરવાનું ? ઃ
આવા જીવો આત્માની શી ચિંતા કરી શકે ? કરવાને જગા જ ક્યાં હોય? એમને માનવજનમમાં જ થઈ શકે એવી ઉચ્ચ કોટિની તત્ત્વચિંતા, ઉમદા કોટિના પરમાર્થપરોપકાર-ક્ષમા આદિના મનોરથો, ઉત્તમ પ્રકારની પરમાત્મ-સ્વરૂપની વિચારણા, - આ બધું કરવાનું સૂઝતું જ નથી. બિચારાને મોહની મોહિનીના અંજામણમાં આના તરફ દિષ્ટ જ શાની ?' આ જીવનમાં કોઈ ઊંચા ઉદ્દેશ છે, જીવન ઉત્તમ સંયમસુકૃતો-સત્કૃત્યો માટે છે, માનવમનને ઊંચા ગુણો-ભાવનાઓ વગેરેના અભ્યાસથી સુસંસ્કારિત કરવા માટે આ જીવનમાં ભરપૂર અવકાશ છે, અને એનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. આનો કોઈ જ વિચાર જડલંપટ મનને ન આવે. પછી આર્તધ્યાન જ લમણે લખાયેલું રહે ને ?
આર્તધ્યાનના યોગે જેમ જડની ઝંખનાની વાતો કરે, એના ગુણ ગાય, એમ એમાંની પ્રતિકૂળનાં રોદણાં પણ ચાલુ રહે છે. જેમ કે અવરનવર બોલ્યા કરશે, ‘આ મોંઘવારી ભારે ! કંઈ ભાવ ચડયા છે ભાવ ! જુલ્મ છે.’ બોલવામાં વળવાનું શું ? ભલેને વળે કાંઈ નહિ, મોંઘવારી ટળવાની નથી, પણ ઝંખ્યા કરશે, ‘સોંઘવારી થાય તો બહુ સારું.’ અનુકૂળ પ્રતિકૂળ બંનેની ઝંખના અને લવારાથી ઉપજવાનું કશું નહિ, કિંતુ ગમ-અણગમાની હોળી રાતદિવસ ચાલુ, આર્તધ્યાનની ચિનગારીઓ સદા સળગતી !
૫૦
આવું તો અમારે ચાલ્યા જ કરે છે. તો બચવાનું કેવી રીતે ? ઉ૦ - બચવાનો ઉપાય છે;
-
કાળબળ કર્મબળ અને ભવિતવ્યતાના બળનો વિચાર હ્રદયથી કરવામાં આવે તો મોંઘવારી જ શું બીજી કોઈ આપત્તિની બળતરા ઓછી થાય.
વિચારણા આ રીતે કરાય, આ જગતમાં જે બનાવો બન્યા કરે છે. એમાં કાળ કર્મ અને ભવિતવ્યતા ભારે કારણભૂત બને છે. કયાંક કાળ, તો કયાંક કર્મ ત્યારે કયાંક વળી ભવિતવ્યતા, અથવા કયાંક બે-ત્રણ સંમિલિત થઈ પ્રધાન કારણ બની જાય છે. કારણ એવા કે અકાય કારણ. એના અનુસાર જ કાર્ય બને. હવે જ્યાં આ શિરજોરી હોય ત્યાં આપણે આર્તધ્યાન કર્યું શું કામનું કે આ સારું ગમતું થયું ને આ ખરાબ આગગમતું બન્યું ? મનમાં આ સદા રમતું રહેવું જોઈએ કે,
(૧) કાળબળ :
કાળ કર્મ અને ભવિતવ્યતા જગત પર જબરદસ્ત સામ્રાજ્ય ભોગવે છે. કાળનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org