________________
૧૯૪
ધ્યાન અને જીવન
તો પ્રભુ ! મારું શું થશે ? બળી આ લક્ષ્મી ! ને બળ્યો આ બંગલો ! હવે મારો બચાવ જ ક્યાં ?'
સાધુ એને આશ્વાસન આપે છે કે ‘ચિંતા ન કરો. જુઓ હવે તમને એ પાપો અને પાપસાધનરૂપ આ બંગલા પર સાચો તિરસ્કાર છૂટ્યો છે ને ? તો હવે બચાવનો એક મહાન રસ્તો છે.....'
તીવ્ર પસ્તાવામાં કેટલી તૈયારી ? :
મુનિમહારાજ એટલું બોલીને ઊભા રહી ગયા. શેઠ તરત કહે ‘સાહેબજી! બોલતાં કેમ અટકી ગયા, જલદી કહો, ઉપાય છે ? ઘોર પાપોથી બચાવ મળતો હોય તો જે કહો તે કરવા તૈયાર છું. જો પાપોથી ન બચું તો તો પરભવે મારે ઘોર દુઃખોની લાંબી હારમાળા જ ચાલે, માટે ફરમાવો જે ઉપાય હોય તે.’
બંગલાને દેરાસર કરો : ચારિત્ર લો :
સાધુ એનો દૃઢ નિર્ણય જોઈ કહે છે, ‘જુઓ, આ બંગલાને દેરાસર બનાવી દો. ત્રણે મજલામાં ભગવાન બિરાજમાન કરાવી દો, પછી જુઓ આ કેવું આલીશાન જિનમંદિર દીપશે ! તમારા નકામા ખર્ચેલા પૈસા સુકૃતમાં ખર્ચેલા થઈ જશે. અને સુકૃત તે કેવું ? દુનિયામાં અજોડ જિનમંદિર ! ગામેગામ આની પ્રસિદ્ધિ થતાં લોકો દૂર દૂરથી પણ અહીં દર્શનાર્થે આવશે, હજારો માણસો દર્શન-પૂજન કરી કરી સમ્યગ્દર્શન પામશે, એને નિર્મળ કરશે, અને જિનશાસન પ્રત્યે અધિકાધિક રાગવાળા બનશે. એથી તમારે અઢળક પાપક્ષય અને પુણ્યાનુબંધી પુણ્ય ઊભું થશે. બસ પછી તાકાત-વીોલ્લાસ વધારી ચારિત્રમાર્ગે ચડી જાઓ, અહિંસા-સંયમ-તપની ખૂબખૂબ આરાધના કરો. તમારાં માત્ર આ જનમનાં જ નહિ, પણ પૂર્વના અસંખ્ય જન્મોનાં પાપ સાફ થઈ જશે.'
આશ્રવ તે સંવર :
સાધુની અમૃતવાણી સાંભળી શેઠનો ઉલ્લાસ ભારે વધી ગયો. એને ચમત્કાર લાગ્યો કે ‘અહો ! હું તો માનતો હતો કે આ બંગલામાં લાખોની લક્ષ્મી વેડફાઈ ગઈ. પણ હવે સમજાય છે કે એનેજ દેરાસર બનાવવાથી પાપલક્ષ્મી પુણ્યલક્ષ્મી બને છે !! તો તો બહુ સારું, હવે એ જ કરું.' આશ્રવ એ સંવર બને તે આનું નામ.
મુનિને કહે છે, ‘પ્રભુ ! આ તો અજબ ઉપાય બતાવ્યો. આપે કેટલો બધો મહાન ઉપકાર કર્યો ! બસ, આજથી આ દેરાસર બને છે. હવે ભગવાન લઈ આવું, આપ પ્રતિષ્ઠા કરાવી આપો.'
મુનિ કહે ‘ભલે !'
શેઠિયો પ્રાચીન જિનબિંબો લઈ આવ્યો. બંગલાના ત્રણે મજલે પ્રતિષ્ઠા કરાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org