SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાન રોકવા ઉપાય (૧૯૩) રૂડો માનવ અવતાર અને અળલક લક્ષ્મી મેળવી, એ ભગવાનની સેવામાં ન તો આ કાયા જોડી કે ન આ ધન વાપર્યું, કેવી મારી પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા?' રોતો જાય છે ને વિચારતો જાય છે કે કેટલાંય ધર્મક્ષેત્રો ને સીંચી શકાત, ને હજારો ગરીબોનાં દુઃખ ફેડાત એટલી લક્ષ્મી આ પાપમાટીમાં ઘાલી ? માટી તો અહીં રહેવાની, ને પાપનાં પોટલાં સાથે ઉપાડવાના. હું ક્યાં જઈશ? મારું શું થશે? બંગલો તો સગાવહાલા ભોગવશે, ને મારે પાપના માર ખાવા પડશે !' કરોડો રૂપિયા લઈ વિલાયતઃ ત્યાં જેલવાસ : મુનિનાં એક વચન પર શેઠને કેવો ધક્કો લાગી ગયો ! બંગલાની વિશેષતાનો બધો મોહ ઊતરી જઈ હવે એના પ્રત્યે ધૃણા થાય છે. આ જ બંગલાના દરવાજામાંથી મારી હકાલપટ્ટી ?' આ વિચાર પર જીવન સરવૈયું કાઢ્યું સરાસર બરબાદી દેખી. જાણે કરોડો રૂપિયા લઈ વિલાયત કમાવવા ગયો, અને ત્યાં રૂપિયા તો ગયા તો ગયા, પણ ઉપરથી ભેદી પરદેશી તરીકે ત્રાસમય જેલના સળિયા પાછળ પૂરાવું અને રીબાવું પડ્યું ! એવી ભાવી દુર્દશા નજર સામે આવી ગઈ. મુનિવરોને ખોટું કેમ ન લાગ્યું ? - મહારાજને ગામે ગામ પોતાની ભાટાઈ ગવડાવવાના તુચ્છ સ્વાર્થે લઈ આવ્યો હતો, પરંતુ શેઠાઈનું એને એવું અભિમાન નહોતું, તેથી મહારાજના એ માર્મિક વચન પર ઊછળી ન પડ્યો કે “બેસો બેસો મહારાજ ! આ શું બોલો છો ? મારા મરી જવાની વાત કરો છો ? પધારો આપના રસ્તે. મારી ભૂલ થઈ તે મારું મોત સાંભળવા તમને તેડી લાવ્યો...' આવો કોઈ લવારો કરત. પરંતુ મહારાજ પ્રત્યે અભિમાન નહોતું એટલે આવું કાંઈ બક્યો નહિ. આજે શ્રીમંતાઈનાં અભિમાનને બોલ વિચિત્ર સાંભળવા મળે છે. મોટા આચાર્યને પણ સાંભળવા મળે ! એ બિચારા અજ્ઞાન પામર શ્રીમંતોને ભાન નથી કે કર્મસત્તા હસી રહી છે, રાહ જોઈ રહી છે કે, “તું અહીંનો પટ્ટો પૂરો કર ને, પછી તારી વલે જોજે.” જે ધન-માલ અંતે ખોવાઈ જવાના, ને એ પાપ પેરીને જીવનું પરભવે દુર્ગતિમાં પારસલ કરવાના, એ ધનમાલની ઉપર અભિમાન શા કરવા ? પરંતુ આ કોણ સમજે ? અભિમાની ન સમજે. આ શેઠને એવું અભિમાન નહોતું, તેથી ‘મર્યા બાદ આ જ દરવાજેથી આ તારા જ કિંમતી બંગલામાંથી તને કાઢી જશે,’ એ સાંભળતાં ચોંક્યો, ને હવે પાપના પસ્તાવે ચડ્યો. મુનિને શેઠ કહે છે, “મહારાજ સાહેબ ! ત્યારે મેં તો જીવનભર લક્ષ્મી મેળવવાસંઘરવા-ભોગવવા વગેરેના અને વધારામાં આ બંગલો બંધાવવામાં અઢળક ભારે આરંભ-સમારંભો કરવાનાં તથા આના પર જુલ્મ રાગ કરવાનાં ઘોર પાપો કર્યા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy