________________
આર્તધ્યાન રોકવા ઉપાય
૧૮૯
વાણિયો વિચારમાં પડે છે કે ‘અહો ? હજી આમને આમાં કંઈ પણ સારું ન લાગ્યું ? કેમ કાંઈ ખુશી નથી દેખાતી ? ભલે હજી ઉપર દેખાડું.' એમ કરી વળી ઉપરના મજલે લઈ જાય છે. ત્યાં વિશિષ્ટ ગોખલામાં નકસીકામ, આરીસા પરનાં ઉપસાવેલાં ચિત્રકામ, ઝરુખાની વિશિષ્ટ રચના, એવું એવું કેટલુંય બતાવે છે, ને કવિત્વભર્યું એનું વર્ણન કરતો જાય છે.
માનવમનનો કેવો ઉપયોગ ?
પોતાની સાદી ચીજની પ્રશંસાની પાછળ એ કેટકેટલા આર્તધ્યાનમાં સબડી રહ્યો છે ! ઈષ્ટ વસ્તુનું આર્તધ્યાન, અને સાધુ પાસેથી અનુમોદના રાજીપો મેળવવાનું પણ આર્તધ્યાન. મહાકિંમતી માનવમનનો આ જ ઉપયોગ ને ? કેમ બોલતા નથી ? બોલવામાં ગભરાઓ છો કે ‘ના, આ ઉપયોગ નહિ’ એમ કહેવા જતાં ક્યાંક આપણને પકડશે કે ‘તો પછી તમે શું કરી રહ્યા છો ? મનનો કેવો કેવો ઉપયોગ કરી રહ્યા છો ?' પરંતુ એમ ગભરાવા માત્રથી શું વળશે ?
મનનો ગેરઉપયોગ કરવાની ભૂલ તો ક્યારેક અમારાથી પણ થઈ જાય છે. પરંતુ તરત પાછા વળવું પડે છે. માટે પહેલું એ નક્કી કરો કે
મહામોંઘેરા માનવ મનનો કયો સદુપયોગ હોઈ શકે ? અને શાને ગેર ઉપયોગ કહેવાય ?
છોકરાને લખવાની એક સારી ભારેમાંની નોટ જેવી મામુલી વસ્તુ વસાવી આપ્યા પછી નક્કી કરો છો કે ‘જોજે આ નોટમાં ગમે તેવા રફ દાખલા ન ગણાય, યા ગમે તેવું કાચું લખાણ ન કરાય. એમાં તો વ્યવસ્થિત પાકું લખાણ ને સારા અક્ષરે જ કરાય.’ ત્યાં છોકરો કાચા ગમે તેવા રફ લખાણમાં નોટનો ઉપયોગ કરે તો એ જોઈ તમારો જીવ કપાય છે ! ઝટ છોકરાને ઠપકો આપો છો કે ‘મૂર્ખ ! આ માટે આવી ભારી નોટ છે ?' બસ, તો પછી મહાકિંમતી માનવમનના ગેરઉપયોગ અંગે જીવ કપાય છે ખરો ?
ગોવિંદ બ્રાહ્મણની પત્ની :
મહાનિશીથ આગમમાં એક મુનિનું આવું વર્ણન આવે છે. પછીના ભવે એ રાજકુમાર છતાં બ્રહ્મચારી; અને પોતાની ઉપર બ્રહ્મચારિણી સ્રીરાજા રુકમીનો માત્ર દૃષ્ટિદોષ જોવા પર ચારિત્ર-તપ-અનશનનો નિર્ધાર કરનાર, તથા મિત્રરાજા પર દુશ્મન રાજાના સૈન્યનો ધસારો પોતાના નિર્મળ બ્રહ્મચર્યના બળે સ્થગિત કરી અવધિજ્ઞાન પામનાર, તેમજ દેવોથી સાધુવેશ અપાયે ઉપદેશ કરી બંને રાજાને અને પાછળથી એજ રુકમીને ચારિત્રમાર્ગે ચડાવનાર બને છે, ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે ‘ભગવન્ ! આટલી બધી એ ઉચ્ચતા શી રીતે પામ્યા ?’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org