________________
(૧૯)
| ધ્યાન અને જીવન ||
મુનિએ વચનખલના પર શું કર્યું ? :
ભગવાન કહે છે, “ગૌતમ ! પૂર્વ ભવે એ સાધુ બનેલ. એમાં ફક્ત એક વાર એમનાથી સહેજ અજુગતો વચનપ્રયોગ થઈ ગયો. બસ ત્યાં એ ચોંક્યા કે અરે! આ શું કર્યું મેં ? માનવભવની મહાકિંમતી વચન-શક્તિ અને મનની શક્તિનો ઉપયોગ તો કેટલો બધો ઉચ્ચ કોટિનો હોય, અને આ મેં કેટલો અધમ ઉપયોગ કર્યો ?
બસ, મુનિને મહા કિંમતી માનવ વચન-શક્તિનો એકજ વારનો ગેરઉપયોગ એટલો બધો ખૂઓ કે એમણે સદંતર માટે એ ટાળવા, તરત (૧) જીવનભરનાં મૌનનો અભિગ્રહ કરી લીધો. સાથે (૨) એકેન્દ્રિય જીવોની દયા-અહિંસા, તથા (૩) બ્રહ્મચર્યનું નવ વાડ સાથેનું વિશિષ્ટ પાલન, એમાં પણ ખબરદાર બની ગયા. મૌન-દયા-બ્રહ્મગુપ્તિનો પ્રભાવ :
ભગવાન કહે છે, “ગૌતમ ! આ મૌન, દયા અને વિશિષ્ટ બ્રહ્મવ્રત-ગુપ્તિનું પાલન, એનાથી એ મહા મુનિ ભવાંતર માટે સુલભ-બોધિ થઈ ગયા. એટલે જ આ જન્મ સુખી રાજપુત્ર થવા છતાં સહેજ નિમિત્ત મળતાં ઝટ વૈરાગ્ય અવધિજ્ઞાન અને ચારિત્રધર્મ પામી ગયા; તથા પૂર્વનાં મૌનથી એવી વિશિંષ્ટ વચન શક્તિ પામ્યા કે એથી રાજા અને બીજાઓને પણ સહેજમાં મિથ્યા માર્ગ છોડાવી પરમ અહિંસાદિમય સમ્ય માર્ગ પમાડનાર બન્યા.'
ખોટો વિચાર કે આર્તધ્યાન ઊઠતાં શું કરવું ? :મહા મૂલ્યવંતા માનવ મન-વચનની કદર જોઈએ. રુકમી વગેરેના પ્રતિબોધક પૂર્વ ભવે કદર હતી તો એ સહેજ વચનનો ગેર ઉપયોગ થતાં એવા સાવધાન બની ગયા કે જીવનભરનું મૌન, એકેન્દ્રિય જીવોની દયામાં ખૂબજ તકેદારી, અને બ્રહ્મચર્ય વાડનું અણીશુદ્ધ પાલન-એ ત્રણને આત્મસાત્ કરનારા બની ગયા. “બસ, વચન આડું ગયું? મૂક એના પર જોરદાર અંકુશ. એ જેમ એમણે કર્યું, એમ આપણે સહેજ મન આડું જતા એના પર અંકુશ મૂકી દેવો જોઈએ. અંકુશ બીજો ભારે ન બને તો ય એના પશ્ચાતાપ સાથે કમમાં કમ ઝટ બાર, નવ, સાત કે ત્રણ નવકાર ગણી લેવાનું કરાય. મનમાં ખોટો વિચાર કે આર્તધ્યાને આવતાં જ ઝટ આ અંકુશ અજમાવવાનો.
પેલો શેઠ બિચારો માનવમનની કિંમત સમજતો નથી એટલે ચડ્યો છે આર્તધ્યાનમાં, તે બંગલાની પોતે જ ભારોભાર પ્રશંસા કર્યું જાય છે. મુનિને એની વિશેષતા પર ચમત્કાર પમાડવા અને એમના દિલમાં ઠસાવી દેવા ઝંખી રહ્યો છે. આ પણ શું છે ? ઈષ્ટસંયોગ કેમ બની આવે એવા પેલા પ્રકારનું નવું આર્તધ્યાન છે. શેઠિયો મુનિને ત્રીજો મજલે લે છે :મનિ બીજા મજલાની વિશેષતા સાંભળીને પાગ ચમક્યા નહિ, ચકિત ન થયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org