________________
.
( ૧૮૬
| ધ્યાન અને જીવન વગેરે આશ્રવો પહેલાં જે ત્યાજ્ય લાગતા હતા એના કરતાં વધુ ત્યાજ્ય લાગે છે ને ? ન લાગતા હોય તો લગાડવાના.
(૨) એમ વ્રત-નિયમ-દેવગુરુભકિત તથા ક્ષમાદિ સદ્ગણો વધુ આદરણીય લાગે છે ને ? ન લાગતા હોય તો લગાડવાનાં. સંસારના પાપ-ખાતાઓ તરફ વધુ ને વધુ નફરત થતી જાય, કામ-ક્રોધ-લોભ વગેરે પર અધિકાધિક તિરસ્કાર વરસતો થાય, અને સંયમ, વ્રતનિયમ, ત્યાગ, તપસ્યા ને ક્ષમાદિગુણો વધુ ને વધુ પ્રિય લાગતા જાય, એવું કરવાનું; પછી દેવદર્શન કરતાં, પૂજાભક્તિ કરતાં, કે દાનાદિ ધર્મ કરતાં પ્રભુ પાસેથી શી આશા રાખવાની ? એમની પાસેથી શું લેવાનું? દુનિયાની વાહવાહ? સંસારનું કામકાજ સગવડ ? કે આત્મહિતની વસ્તુ ? તમે મુનિ મહારાજ આપણું શું કરી આપે એવું ઈચ્છો ? પૈસા ટકાનો લાભ, સંસાર વ્યવહાર, સંસારની કોઈ સગવડ, સંસારનું કોઈ કામકાજ કરી આપે એવું ઈચ્છો ? કે માત્ર આપણું આત્મહિત સધાવી આપે એવું ઈચ્છો?
આજે આવા ય માણસ અમને મળે છે. આવીને કહેશે મહારાજ ! દેશાવર ધંધા માટે જવું છે. સારો દિવસ કયો છે ?' ત્યારે કોઈ કહેશે “સાહેબ ! જરા તબિયત સારી નથી રહેતી, તો વાસક્ષેપ નાખી આપો, જેથી સારું થઈ જાય.” એક ભાઈ એવા આવ્યા, અમને કહે “સાહેબ ! અમુક મકાન પર અમારી સગીનો હક પહોંચે છે. તો તમે પેલા ભાઈને કહો ને કે એ આપી દે. આપનું એ માને એમ છે !'
સાધુ પાસે શું આવાં કામ કરાવવાના ? સાધુ કરે એમાં એના મહાવ્રતને ધક્કો પહોંચે એનો વિચાર ખરો ? ના, શું કામ વિચાર રાખે ? સ્વાર્થ સાધવામાં બીજું કશું જોવાનું ખરું કે ‘સાધુ સંસારની હોળીમાંથી કેટલા બધા પ્રયત્ન માંડ તો બહાર નીકળ્યા હોય, તે આપણે એમને ફેર પાછા એ હોળીમાં ઝીકવા ? તે ય આપણા સ્વાર્થ માટે ? કેટલી આ અધમ વૃત્તિ છે ?' આવો વિચાર કોણ કરે ?
પેલો શેઠ બિચારો એમ ઈચ્છે છે કે કોઈ સારા સાધુ મહારાજને બંગલો દેખાડી દઉં તો પછી એ ગામેગામ વિચરે એટલે લોકો સાથેની વાતચીતમાં સહેજે કહે કે “ભાઈ ! બંગલો જોવો હોય તો અમુક ગામમાં ફલાણા શેઠનો ! શું બંગલો છે ! દુનિયામાં જોટો ન જડે એવો.” એમ મારા બંગલાની પ્રસિદ્ધિ મફતમાં ગામેગામ થાય.
સાધુ થયા એટલે નવરાશ” ? :વાણિયો શું સમજતો હશે? કેમ જાગે સાધુમહરાજને નવરાશ બહુ, બીજું કાંઈ કામ નહિ, એટલે કુથલી જ કરતાં હશે ! તે એમાં એના બંગલાની ય વાત કરશે. !” આવી આજે કેટલાયની સમજ હોય છે, તેથી નવરા પડ્યા “ચાલો ઉપાશ્રયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org