________________
આર્તધ્યાન રોકવા ઉપાય
૧૮૫
વાત આ છે કે, ધન-પ્રતિષ્ઠા-પરિવારનું મહત્ત્વ તો સંસારિઓ તો બહુ સમજાવે છે, પણ ધર્મ-વૈરાગ્ય-ઉપાધિમુક્તિનું મહત્ત્વ સાધુઓ સમજાવે છે. એમની પાસેથી એ જ લેવાનું હોય એ જ સમજવાનું હોય.
જૈન શાસનના સાધુમહાત્માઓ શાસનનું રહસ્ય આ સમજાવે છે કે ‘આશ્રવો ભવહેતુઃ સ્યાત્ સંવરો મોક્ષકારણમ્’ માટે ‘આશ્રવઃ સર્વથા હેયઃ, ઉપાદેયશ્ચ સંવરઃ’ આશ્રવો સંસારવર્ધક હોવાથી સર્વથા ત્યાજ્ય છે, ને સંવર મોક્ષ સાધક હોઈ આદરવા યોગ્ય છે. આ શ્રદ્ધા હોય તો જ સમ્યગ્દર્શન આવે, ને સાચી જિનભક્તિ થાય. બોલો છો ને પૂજામાં,
કેવલિ-નિરખિતસૂક્ષ્મ અરૂપી, તે જેહને ચિત્ત વસિયો રે;
જિન ઉત્તમ પદ પદ્મની સેવા કરવામાં ઘણું રસિયો રે.'
અહીં ‘સૂક્ષ્મ=કર્મ, અને ‘અરૂપી-આત્મા. કર્મ અને આત્મા જેના ચિત્તમાં વસી ગયા, જેને પાકી શ્રદ્ધા થઈ ગઈ, કે આત્માની પોતાની જ આશ્રવ ખેલવાની ભૂલના યોગે ઊભાં થયેલ કર્મ જીવને સંસારનો કરુણ કેદી બનાવે છે. ત્યારે જિનેશ્વર ભગવાને કહેલ સંવર-તત્ત્વના માર્ગે ચાલતાં અંતે સર્વકર્મમુક્ત બની અનંતજ્ઞાન-સુખમય શુદ્ધ સ્વરૂપમાં આત્મા આવી જાય છે. આ સૂક્ષ્મ અને અરૂપી જેને દિલમાં ઊતરી ગયા, એ સમ્યગ્દર્શન પામી જિન-ભક્તિનો પાકો રસિયો બની જાય.
જિનભક્તિનો ને સમ્યગ્દર્શનનો જ્યાં રંગ જામે, ત્યાં રાગાદિ દોષો અને અશુભકાર્યો વધારનારા પૈસા-ટકા-પરિવાર-પ્રતિષ્ઠા વગેરે આશ્રવ વધુ હેય લાગે, વધુ ત્યાજ્ય લાગે, આત્માના મહા અપકારક લાગે. તેથી જિનભક્તિનાં ફળરૂપે એ મેળવાની લેશ ઈચ્છા ન હોય.
એટલે જ આપણે જે કહીએ કે ‘કોઈ તીર્થમાં પ્રભુની ભક્તિ કરવામાં, યા ગામમાં જ બેસતા મહિને પ્રભુનો સ્નાત્ર-મહોત્સવ ઉજવવામાં ખૂબ આનંદ આવ્યો,’ ત્યાં આ જોવું જોઈએ કે ‘એથી આશ્રવો વધુ ત્યાજ્ય અને ખતરનાક લાગ્યા ?’ ના, એ પૈસા-ટકા-પરિવાર વગેરે તો એટલા જ ગમતા રહ્યા, એના પરનો રાગ-મમતાઅભિમાન વગેરે જરાય ઓછા ન થયા કે જરા પણ ખટક્યા નહિ, તો ભક્તિનો રંગ શો લાગ્યો ?
દર્શન નિર્મળ થયાનું માપ શાના પર ઃ
તીર્થયાત્રા, પ્રભુદર્શન, જિનભક્તિ, વગેરે સાધના સમ્યગ્દર્શનને વધુ નિર્મળ કરનારી કહી છે. તો એથી આપણું સમ્યગ્દર્શન વધુ નિર્મળ થતું આવે છે ને? એનું માપ કાઢવાની આ ચાવી છે કે,
(૧) અંદરખાને એ જોવાનું કે પૈસા ટકા-વિષયો-કષાયો-અવ્રત-આરંભસમારંભ
-
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org