________________
૧૮૪)
| ધ્યાન અને જીવન || ત્યારે તે ધ્યાનરૂપ બને છે, પછી એ વસ્તુ શુભ હોય તો શુભ ધ્યાનરૂપ બને, અને અશુભ હોય તો અશુભ ધ્યાનરૂપ બને. કોઈનો બંગલો ગમી જાય એની પ્રશંસા કરો, ત્યાં એ બંગલો અશુભ વસ્તુ છે, આશ્રવ છે, મોહજનક છે, માટે એનું ધ્યાન એ અશુભ ધ્યાન છે. એ પેલી પ્રશંસા પાછળ કામ કરતું હોય છે. એના બદલે કોઈના જિનમંદિરની પ્રસંશા કરો ત્યાં એની પાછળ મંદિર એ શુભ વસ્તુ હોવાથી એનું ધ્યાન શુભ ધ્યાન કામ કરતું હોય છે.
આમાં ખૂબી એ છે કે એનો એજ વિષય અશુભ છતાં જે શુભ બનાવી દો, તો પછી એની પ્રશંસામાં અશુભ ધ્યાન બંધ, અને શુભ ધ્યાન કામ કરતું થાય. પેલા શેઠના બંગલાનું દષ્ટાંત જાણો છો ને ?
અશુભને શુભમાં ફેરવવા શેઠના બંગલાનું દષ્ટાંત
શેઠે બંગલો બાંધ્યો. એ બંધાવવામાં વરસો લાગ્યાં. કેમકે દેશ-પરદેશથી એવી એવી ખાસ ચીજો મંગાવી એનો એમાં ઉપયોગ કરેલો. ક્યાંકથી આરસ, ને ક્યાંકથી નકશીકામવાળા પાટિયા, તો બીજેથી ઝુમર, તો કશેકથી આરિસા ને કશેકથી ગલીચા,... એવું એવું મંગાવેલ એની સાથે કાનપુર, ને આગ્રા, ને સીકન્દરાબાદ, ... વગેરે સ્થળેથી કારીગરો બોલાવી ચિત્રકામ, નકશીકામ, ઓપકામ,.... એવું એવું અનેરૂં કામ કરાવેલું. બંગલો અનન્ય બની ગયો.
હવે શેઠ જેની તેની આગળ એની પ્રશંસા જાતે કરતાં ને લોક પાસે સાંભળતાં હરખા હરખા થઈ જાય છે. બોલો, એની પાછળ એના દિલમાં કેટલું આર્તધ્યાન કામ કરતું હશે ? પરંતુ હજી ય આટલા લોકો તરફથી મળતી પ્રશંસા ઓછી પડે છે, તે એમને વિચાર આવે છે કે, શેઠને બંગલાની ગામેગામ પ્રશંસા જોઈએ છે :
‘આ બેનમૂન બંગલાની પ્રશંસા દેશોદેશમાં થાય તો કેવું સારું ? પરંતુ એ બને કેવી રીતે ? ગામે ગામ કાંઈ માણસો ઢોલ પીટતા થોડા જ મોકલાય ? એમાં ખરચો ય કેટલો બધો ? અને લોકમાં સારું ય ન દેખાય.. પણ હા, એક ઉપાય છે,સાધુમહારાજ ગામે ગામ વિચરતા હોય છે. એમને જો આ બંગલો દેખાડી દીધો હોય તો એમના દિલમાં આ ચોંટી ગયા પછી સહેજે એ ગામે ગામ બીજાઓ આગળ વાતચીતમાં આ બંગલાની પ્રશંસા કરે. એમાં કાંઈ સાધુ મહારાજને પગાર મહેનતાણું પણ ન દેવું પડે, અને દેશોદેશમાં જાહેરાત પણ સારી થઈ જાય.” જોયું ? કેવો ઘેલો વિચાર આ ?
સાધુ મહારાજ પાસેથી શું ઈચ્છો? ધન? કે ધર્મ ? પ્રતિષ્ઠા ? કે એનો વૈરાગ્ય? પરિવારની બેડી ? કે પરિવારથી મુક્તિ ? સાધુ મહારાજની પાસેથી શું ઈચ્છવાનું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org