SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાન રોકવા ઉપાય ૧૮૩ થી, મોંઘવારી બહુ વધી ગઈ. આ અને એવાં બીજા રોદણાં આના અંગે શું મ ચાલે ? કહો, આ ચીજો અંગે વિચાર નથી કે મારો જીવ જે અઢળક રાગ૫ ક્રોધ-લોભ-મદ વગેરે આંતરિક દોષો પોષે છે, અને કર્મોના ભાર વહોરે છે, આ કાયા-માયા-વિષયોની ઘેલછાને લીધે જ. તો એ ઘેલછા કેવી ભૂંડી ! ઘેલછા .ાવનાર કાયા માયા વિષયો કેવાં ભૂંડા ! હવે જો આ આશ્રવો અને એના સાધનો યે સૂગ છે, ધૃણા છે, તો પછી એ થોડા બગડવા પર રોદણાં શા રોવાં ? આર્તધ્યાન કરવાં ? પૂર્વના મહાન પુરુષોએ જીવનમાં થોડો પણ ધર્મ સેવવાનું કર્યા પછી એ એકદમ ાગળ કેમ વધી ગયા ? કારણ આ, કે થોડા પણ ધર્મના સેવનમાં આશ્રવો પાપસાધનો યે નફરત બહુ કેળવી. બસ, ધર્મમાં પ્રગતિનો આધાર પાપ-પાપસાધનો-આશ્રવો પ્રત્યે વધતી નફરત ઘૃણા ૨ છે. કેમકે એ પાપઘૃણાથી શુભ ધ્યાન વધે છે. શુભધ્યાનનું જેમ જોર, એમ ર્મ વધુ બળવાન. આશ્રવો, પાપસ્થાનકો, કર્મબંધના હેતુઓ પ્રત્યે એવી નફરત-ઘૃણા-અરુચિ નહિ વાથી એમાં હોંશ રાખીને વર્તાય છે. એથી જ એના અંગે આર્તધ્યાન ચાલતું રહે > ને એનાં લક્ષણ બહાર તરી આવે છે. મનગમતું મળ્યું તો હરખ હરખ ! પછી ની પ્રશંસા વગેરે ચાલે છે. અણગમતું બન્યું, કે કોઈ રોગ આવ્યો, તો એની પોક ૉક ચાલુ થઈ જાય છે. જુઓ તો દેખાય કે જીવનમાં આર્તધ્યાનનાં કેવાં કેવાં લક્ષણ વાયે જાય છે. (૧) કાં તો પોતાના કાર્ય પોતાને નહિ ગમે, પોતે એનો હલકો ખ્યાલ બાંધ્યા શે. આ શું છે ? પોતાને જોઈએ એવું ઈષ્ટ નથી બન્યું એનો સંતાપ છે. એની ાછળ ઈષ્ટનો સંયોગ ન બનવાનું આર્તધ્યાન કામ કરી રહ્યું છે. (૨) અથવા બીજાના વૈભવ, બીજાની હોંશિયારીની પ્રશંસા કરશે. એમાં પણ ાર્તધ્યાન છુપાયેલું છે. કેમકે પોતાને એ ઈષ્ટ લાગે છે, અને એના સંયોગનું ધ્યાન લે છે, એટલે પ્રશંસા ચાલે છે. મૂળમાં રાગ-દ્વેષ ચાલતા હોય એ આર્તધ્યાનના પ્રેરક છે. જે વસ્તુની પ્રશંસા કરે । તે એને ગમે છે, એના પર રાગ છે, અને ગમતી વસ્તુ પોતાને મળી નથી એનું :ખ અથવા તેના સંયોગની ચિંતા યા મળેલી હોય તેનો વિયોગ થવાની ચિંતા માર્તધ્યાન કરાવે છે. આર્તધ્યાન અશુભ અધ્યવસાયનું કેન્દ્રી કરણ છે. અધ્યવસાય યાને દિલનો ભાવ, વિચાર કે વિકલ્પ એક વસ્તુ પર કેન્દ્રિત થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy