________________
(૧૮૨
| ધ્યાન અને જીવન સમ્યગ્દર્શનની વધુ નિર્મળતામાં તો આશ્રવ વધુ હેય લાગે, તેથી સંવર વધુ ઉપાદેય લાગે.
પછી એ ભક્તિનાં ફળરૂપે આશ્રવની ચીજ માગવાનું મન જ કેમ થાય ? સમ્યકત્વ જે પ્રાપ્ત થાય છે, અથવા નિર્મળ થાય છે, એનો પ્રભાવ કેટલો બધો ઊંચો છે કે સમ્યકત્વનો પ્રભાવ :
એ વખતે જો આયુષ્ય બાંધે તો શાસ્ત્ર કહે છે કે વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે, નરક-તિર્થી-મનુષ્યગતિનું નહિ, તેમજ દેવગતિમાં ય ભવનપતિ-વ્યંતર જ્યોતિષીનું આયુષ્ય નહિ, પણ એની ય ઉપરનું વૈમાનિકનું આયુષ્ય બાંધે. ત્યારે એ હિસાબે એની સાથે શાતા વેદનીય, યશ નામકર્મ, સૌભાગ્ય નામકર્મ વગેરે શુભ કમ પણ કેવા ઊંચા બાંધે ? હવે આયુષ્ય તો જીવનમાં એક જ વાર કોઈ અમુક અંતર્મુહૂર્તમાં જ બંધાતું હોઈ તે સિવાયના કાળે ન બંધાતું હોય, છતાં પણ બીજાં પેલા શાતા વેદનીય, યશનામકર્મ વગેરે પુણ્યોનો જથો કેટલો ઉમદા બંધાય ! ધર્મસાધનાને તુચ્છલાભથી નહિ વટાવવી :
એટલે જ આ વિચારવાનું છે કે આ સમ્યકત્વ તેમજ જિનભક્તિ વગેરે ધર્મસાધનાઓ જ્યારે આત્માની ભાવી મહાન સ્થિતિ સરજે છે, તો પછી એને લૌકિક તુચ્છ લાભથી શા માટે વટાવવી જોઈએ ? માનપાન પૈસા ટકા વગેરે વર્તમાન લાભ તો આશ્રવો છે, દિલમાં રાગ-મમત્વ તૃષ્ણા વગેરેને વધારનારા છે, એથી આત્મા પર પાપકર્મના ભાર વધતા જાય છે. તો પછી શું જિનભક્તિ-સમ્યગ્દર્શન વગેરેના ફળમાં એ પૈસાટકા માગીને યા મેળવીને સંતોષ માનવો ? રાવણ આ સમજે છે. તેથી ધરણેન્દ્ર ભલે એવું કાંક માગી લેવા કહ્યું, કિંતુ રાવણે જિનભક્તિનાં ફળરૂપે એ માગવા સાફ ના પાડી. શું? રાવણને જિનભક્તિથી દુનિયાની ચીજ જોઈતી નથી.
આમ ધર્મસાધનાનું એવું મહત્ત્વ વધારી આશ્રવ પ્રત્યે નફરત વધારવાનું ચાલુ રખાય એની મન પર મોટી સુંદર અસર પડવાની.
થોડી પણ જિનભકિતની મોટી અસર :
ભલે કદાચ આ દૈનિક દેવદર્શનાદિ ધર્મક્રિયાઓનો સમય ચોવીસ કલાકમાંથી બહુ ઓછા કલાકનો હોય, છતાં ત્યાં તન્મય થઈને જે ભકિતરંગ વધાર્યો, અને એ માટે પાપો આશ્રવ પ્રત્યે ધૃણા વધારી, એની બાકીના સમય પર મોટી અસર પડે છે. આનું પરિણામ એ આવે કે સામાન્ય વાત-વસ્તુ પર રોદણાં અને આર્તધ્યાન જે થાય છે એ ન થાય, વાતવાતમાં રોદણાં શાના અંગે ચાલે છે ? આ કાયા-માયા-વિષયો અંગે જ ને ? મારું શરીર બરાબર નથી, છોકરો માનતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org