________________
આર્તધ્યાન રોકવા ઉપાય
(૧૮૧ ષ વગેરેને ન મૂકવાનો દુરાગ્રહ રાખીએ, ને એની સામે ધર્મને ઓછી કિંમતનો માની ધર્મ ડહોળાવા દઈએ, તો સમ્યગ્દર્શનના બે અંશ કેવી રીતે ટકે ?
સમગ્દર્શનના અંશ છે ૧ આશ્રવની હેયતાની શ્રદ્ધા અને ૨ સંવરની ઉપાદેયતાની શ્રદ્ધા. અર્થાત્ (૧) “આશ્રવ એ હેય છે, કિંમત વિનાના છે’ એવી શ્રદ્ધા, અને (૨) “સંવર એ ઉપાદેય છે, કિંમતી છે એવી શ્રદ્ધા, આ બે સમ્યકત્વના બંશ છે. હવે જો આશ્રવને કિંમતી માનવા જઈએ તો શ્રદ્ધા અંશ ઊડી જવાથી સમ્યકત્વ ત્યાં રહે ? વિચારવા જેવું છે કે તુચ્છ બે રૂપિયાને મહત્ત્વ આપવા જતાં ધર્મ આચરણ ને ડહોળાય તો એ કેટલું બધું ખતરનાક ?
સમ્યકત્વના સાચા ખપી આત્માઓ આ સમજે છે માટે તો મોકા ઉપર સાવધાન બન્યા રહે છે.
રાવણની પ્રભુભક્તિ :રાવણ અષ્ટાપદજી ઉપર સુંદર જિનભક્તિ કરતા હતા, ને ત્યાં ધરખેંદ્ર યાત્રાએ બાવે છે. રાવણની એકતાની ભક્તિ જોઈ એ ખુશ થઈ કહે છે, ‘રાવણ ! તમારી ભક્તિથી હું ખુશ થયો છું.” રાવણ કહે, “જિનેશ્વરદેવનો ભક્ત એમની ભક્તિ થતી જોઈ ખુશ થાય એ સ્વાભાવિક છે.’
એ તો સાચું, પણ ભક્તિમાં તમારી સ્થિરતા અને અદ્ભુત રંગ જોઈ તમારા પર મારું મન મુગ્ધ બને છે માટે કંઈક માગો. માગો તે આપું.
રાવાર અહીં લલચાતા નથી. એમને મન ભક્તિ આગળ દુન્વયી કોઈ ઈનામ કશી કંમતનું નથી. કારણ કે જિન-ભક્તિ એ ઉપાદેય તત્ત્વ છે, દુન્વયી સંપત્તિ એ હેય ત્ત્વિ છે. હેયને ઉપાદેય કરતાં કિંમતી કેમ મનાય ?
ધરણેને રાવણ કહે છે- ભક્તિની અનુમોદનામાં તમે કાંઈ આપો એ તમારા માટે શોભા ભર્યું છે, પરંતુ ભક્તિના બદલામાં હું કાંઈક લેવા ઈચ્છું એ મારા માટે
ભાભર્યું નથી. વળી ભક્તિનાં ફળરૂપે મારે જે જોઈએ છે તે તમે આપી શકો એમ નથી, ને તમે આપી શકો એ મારે ભક્તિનાં ફળરૂપે જોઈતું નથી.
ભકિતનું ફળ માગતાં આશ્રવનું મહત્ત્વ મનાઈ જવાનો ભય :રાવણ સમ્યગ્દષ્ટિ જીવ છે. એ મોકા પર સાવધાન છે. અહીં ધરણંદ્ર તરફથી પાગવાની પ્રાર્થના છે એ મોકો છે. ત્યાં માગી લેવાની લાલચ થઈ જાય. પરંતુ રખે ને એથી આશ્રવનું મહત્ત્વ મનાઈ જાય તો? દુન્વયી સુખ-સાધન મળવા પર ચાલો ભક્તિ ફળી એમ મનમાં આવી જાય તો ? માટે એવું માગવાની ઈચ્છા જ નથી. પ્રભુભક્તિથી સમ્યગ્દર્શન વધુ નિર્મળ થાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org