________________
૧૭૮
ધ્યાન અને જીવન
તો માનવું પડે કે મનને એનો વિયોગ સતાવી રહ્યો છે, મન વિયોગની અર્તિમાં છે, તીવ્ર આર્તધ્યાનમાં છે.
શબ્દથી રોદણાં શા માટે ? :
આ તો જરા વિશેષ પીડા કહેવાય કે આંસુ પડે. પરંતુ આંસુ ન હોય, પણ બોલવામાં રોદણું હોય, એ પણ આર્તધ્યાનનું ચિહ્ન છે. અંતરમાં આર્તધ્યાન છે એટલે તો એવા રોદણાંનો શબ્દ નીકળે છે. ત્યાં શેખી મારે કે ‘હું આર્તધ્યાન કરતો નથી,’ એ ભ્રમ છે. દા.ત. રસ્તે જતાં જતાં એકને કહે, બીજાને કહે,... કે ‘જુઓને આજે ઊઠી; ખીસાના કાણામાંથી પાંચ રૂપિયા પડી ગયા. આપણે કંઈ આર્તધ્યાન કરતા નથી, પણ આજ ધોબીઓ કેવા બેદરકાર કે કપડામાં કાણાં પાડી દે છે. આવું કહેતો ફરે, એને પૂછાય કે ‘અલ્યા ભાઈ ! જો તને આર્તધ્યાન નથી, તો પછી આ બીજા આગળ રોદણું શાનું ? રૂપિયા પાંચ ગયા એને ‘પાંચની ઊઠી’ કેમ માને છે ? ‘ધોબીઓ કેવા !’ એ દુઃખના શબ્દ શા માટે ?
રોદણાંનો શબ્દ એ તો ધૂમાડો છે. એ સૂચવે છે કે અંતરમાં આર્તધ્યાનનો અગ્નિ છે. ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. અગ્નિમાંથી એ બહાર નીકળે છે. આગ વિના ધૂમાડો શાનો ? કેટલીક વાર બીજા આગળ શબ્દ ન ય નીકળે, પણ પોતાને જ વારે વારે એ દુ:ખથી યાદ આવી જતું હોય તો ય તે અંદરનાં આર્તધ્યાનનું સૂચક છે. મોટા ગિરિરાજ પર આદેસર દાદાની પૂજાભક્તિમાં લાગ્યો, પણ ત્યાં જો વારે વારે યાદ આવ્યા જ કરે કે આ ‘ક્લવાળાએ આપણને ધાબડચા, આપણી પાસેથી રૂા. પાંચ પડાવ્યા, અને એટલા જ ફૂલ આપણી જોડેવાળો ત્રણ રૂપિયામાં લાવ્યો,’ આવી યાદ એ આર્તધ્યાનમાંથી ઊઠે છે. ત્યારે વિચારો કે આર્તધ્યાનની કેવી ખંધાઈ છે, કે મોટા આદીશ્વર પ્રભુની ભક્તિ કરવાનો અવસર મળ્યો તો ય ચિત્ત એમાં તન્મય ન બનતાં, વચમાં આર્તધ્યાન ઘૂસી જાય છે ! પૂછો,
પ્ર૦- ફૂલ લેતાં ઠગાયા તે લાગે નહિ ?
ઉ- ક્યારે લાગે ? જો મહાતીર્થ પર દાદાની પૂજા ભક્તિ મળ્યાનો અગણિત લાભ મન પર ન હોય તો લાગે. જો મનને એમ હોય કે
‘અહો પૂજાભક્તિનાં મૂલ્ય શું આંકું ? ખર્ચ નહિવત્, સમય-ભોગ નહિવત્ ને ક્રોડોઅબજોથીય અધિક કિંમતનાં ફળને આ પૂજા-ભક્તિ રજીસ્ટર્ડ કરી આપે છે !’
જો મનને આવું કાંઈ હોય તો ફ્લમાં બે રૂપિયા વધુ ખર્ચાયા એનો શોક શાને ! પણ અંતરમાં એનું આર્તધ્યાન સળગે છે, એ મહાન પૂજા ભક્તિનાં કાર્યને ય પોચલું દુબળું બનાવી દે છે.
આર્તધ્યાનની બંધાઈ વિચારવા જેવી છે. મોટા આચાર્ય ભગવાનની લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org