________________
આર્તધ્યાન રોકવા ઉપાય |
( ૧૭ ) રૂપિયાની વ્યાખ્યાન વાણી જો મનને થયા કરે કે કોઈ જોડા તો નહિ ઉપાડી જાય?' અથવા ‘પેલી વાર જોડા ઉપડી ગયેલા, આજે લાવ્યા જ નથી એટલે ઠીક થયું,” તો એ અંતરમાં ભૂતકાળનું આર્તધ્યાન હોવાનું સૂચવે છે. ખબર છે ને કે ભૂતકાળની વસ્તુ-સંબંધી ય આર્તધ્યાન હોય” “પહેલાં અનિષ્ટ બનેલું એ ઠીક ન થયું,’ આ
સ્મરણની પાછળ અંતરમાં આર્તધ્યાન છે. બનાવ ભૂતકાળમાં બની ગયેલ, પરંતુ એનો ખટકો-અર્તિ-પીડા જો અત્યારે થાય છે, તો એ વર્તમાનમાં જ ભૂતકાળ સંબંધી આર્તધ્યાન છે.
પોતાના કાર્ય વખોડવામાં આર્તધ્યાન :| વિચારવા જેવું છે કે જીવનમાં આર્તધ્યાનનાં ઉત્થાન કેટલી વાર ? ડગલે ને પગલે, કે કોક વાર ? શાસ્ત્ર કહે છે કે પોતાનાં કાર્યને વખોડવાનું અને બીજાનાં કાર્યને વખાણવાનું બનતું હોય તો એ પણ અંદરનાં આર્તધ્યાનનું ચિહ્ન છે. દા.ત. માને કે ‘આપણને ભાઈ ! કપડાં ધોતાં એવું ન આવડે. પેલો સરસ ધુએ છે;' યા સાધુને ય જો થાય કે “આપાગું વ્યાખ્યાન સામાન્ય, પેલાનું હાઈક્લાસ.' તો આ પણ આર્તધ્યાનના ઘરનો શબ્દ છે. ત્યારે પૂછો,
પ્ર૦-મારું બરાબર નહિ, ને બીજાનું સારું-આ તો નિરભિમાન અને ગુણાનુવાદના શબ્દો છે, આમાં આર્તધ્યાન શાનું ?
ઉ૦-આર્તધ્યાન એથી, કે અંતરમાં પોતાનું કાર્ય ઈષ્ટ નહિ એની પીડા છે. અનિષ્ટસંયોગ ક્યાં થયો ?’ એના પર દુઃખથી મન પર લાગ્યું, એકાગ્ર થયું, એ આર્તધ્યાન
નિરભિમાન અને આર્તધ્યાનમાં ફરક -
મારાં કાર્યમાં કાંઈ માલ નથી,’ એ શબ્દો નિરભિમાનના ઘરના હોઈ શકે, પરંતુ ત્યાં મન મહાપુરુષોની અપેક્ષાએ જાતની લઘુતા પર લાગેલું છે. ત્યારે અહીં આર્તધ્યાનમાં તો કાર્ય બરાબર ન થયા પર દુઃખથી મન લાગેલું છે. આ બંને વચ્ચે ફરક છે.
૧૯: આર્તધ્યાન રોકવા ઉપાય પૌલિકની બાબત પર હરખ કે દુઃખ-વિષાદ ન જોઈએ, તો જ આર્તધ્યાનથી બચાય.
“પોતાને વ્યાખ્યાન બરાબર નથી આવડતું,’ એ પણ ખેદ શાના અંગે છે? શ્રવણથી બિચારા લોકો એવું પામી શકતા નથી એના પર? કે મારો પ્રભાવ નથી પડતો, વાહ વાહ નથી થતી,’ એના પર ? જો રોદણું પ્રભાવ ન પડવા અંગે છે તો એ પૌદ્ગલિક બાબતનો ખેદ છે, માટે આર્તધ્યાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org