________________
આર્તધ્યાનનાં લક્ષણો
૧૭૭
મમ્મણના જીવ વાણિયાએ તો પહેલેથી અફસોસી શરૂ કરેલી કે હાય ! મેં લાડવો ક્યાં વહોરાવી દીધો ? તે એનાં આર્તધ્યાન અને શોકનાં સંસ્કારનું વાવેતર કર્યું. પછી જુઓ કે મમ્મણ શેઠના ભવમાં એના ગુણાકાર કેવા થયા ! કરોડોની સંપત્તિ છતાં ચિંતા-સંતાપ-શોકનો પાર નહિ, ને આર્તધ્યાનમાંથી રૌદ્રધ્યાનમાં રમ્યો !
પરિગ્રહના સંરક્ષણનું ધ્યાન જીવને રૌદ્રધ્યાન સુધી ચડાવી દે છે. મમ્મણ મરીને સાતમી નરકે ગયો. આર્તધ્યાનનાં લક્ષણ કયાં ? :
બાહ્ય આક્રંદન, શોક, ઉદ્વેગ, બખાળા, વગેરે આર્તધ્યાનનાં લક્ષણ છે. એ પ્રવર્તતા હોય એટલે સમજાય કે અંતરમાં આર્તધ્યાન ચાલી રહ્યું છે. જીવની આ ઘેલછા જ છે ને, કે જે ભલે ગમતી પણ વસ્તુ બગડી ગઈ, આધી પાછી થઈ ગઈ, ખોવાઈ કે નષ્ટ થઈ ગઈ, હવે એ બનવાની વાત બની ગઈ, છતાં એનો ઉદ્વેગ શોક ચિંતા બળાપો કરે છે.
સૂર્યાસ્તનાં દૃષ્ટાન્તથી ઉદ્વેગવારણ
ખરી રીતે આ વિચારવું જોઈએ કે “પુદ્ગલ નામ જ એવું છે કે જે બતાવે છે કે આમાં પૂરણ-ગલન થયા જ કરે, સડન-પડન-વિધ્વંસન હોય જ. એકવાર જે સારું બન્યું, પછી એ ખરાબ થવાનું નક્કી. સંયોગ પાછળ વિયોગ હોય જ. તો જેમ સૂર્યના ઉદય-ઊર્ધ્વગમન પછી અસ્ત થાય જ છે, દિવસ પછી રાત પડે જ છે, એવો એનો સ્વભાવ; અને તેથી કાંઈ શોક-ઉદ્વેગ નથી થતો; તેવી રીતે વસ્તુ બગડવા, ખોવાવા કે નટ થવા પાછળ શોક શા સારું ? પુદ્ગલ વસ્તુનો સ્વભાવ જ છે કે એ ગળે, બગડે, ખોવાય, નષ્ટ થાય. સ્વભાવ પર શોક ન કરાય;
નાશવંતની પાછળ શોક-ઉદ્વેગ-બળાપા કરવા એ માનવમનની કમજોરી છે. ‘શા માટે મનને કમજોર કરું ? હવે ન સુધરે એના પર સંતાપ કરવો એ મૂર્ખતા છે.’’ આ વિચાર કરે તો સંતાપ અટકી જાય, આર્તધ્યાન ન સળવળે. સબળ શરીરે નબળું મન :
પહેલવાન જેવા માણસનું પણ મન કેટલું બધું કમજોર હોય છે કે કોઈ ગમતી વાત વસ્તુ જવા-બગડવા પર યા અણગમતી આવી પડવા પર માણસ આક્રંદ કરતો હોય છે, ચીસ પાડીને રોતો હોય છે, અથવા ચીસ પાડ્યા વિના રુદન કરતો હોય છે ! તો એ લક્ષણ સૂચવે છે કે અંતરમાં આર્તધ્યાન વર્તે છે. અંતરમાં એના સંતાપબળાપા વિના બહારમાં આક્રંદ રુદન શાનું કરે ? દા.ત. દીકરો મરી ગયા પછી એની યાદ પર ચીસ પાડીને રોવાઈ જતું હોય, આંખમાં અનેકવાર આંસુ આવતા હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org