________________
૧૭૬
મમ્મણને પૂર્વભવના શોકના ગુણાકાર :
મમ્મણ શેઠને પણ પૂર્વના કુસંસ્કાર પર આવું જ બન્યું. પૂર્વ ભવે મહારાજને લાડવો વહોરાવ્યા પછી એની અફસોસી ઊભી થયેલી, એમાં આર્તધ્યાનના કુસંસ્કાર વવાયા. લાડવો કંઈકથી આવ્યો હશે, સિંહ કેશરિયો મોદક. સાધુ આવ્યા. બહુ ઊંચા ભાવથી વહોરાવ્યો. ત્યારે તો એના બહુ ઊંચા પુણ્યમાંથી પાછળની અફસોસી અને પોતાના જ દાનસુકૃતની નિંદાથી કેટલું બધું બળી ગયું ! છતાં પુણ્યના જે શેષ કણિયા વધ્યા એથી મમ્મણને અપાર સમૃદ્ધિ બળી, ત્યારે મૂળ પુણ્ય કેટલું બધું ઊંચું ? અને એ બાંધતાં ભાવ કેટલા બધા ઊંચા ?
ધ્યાન અને જીવન
એવા ઊંચા ભાવથી લાડવો વહોરાવ્યો છતાં ગમે તે થયું, કોઈ પાડોશી લાલે કહ્યું ‘શું મારા ભાઈ ! સિંહ કેશરિયો મોદક ! આવો લાડવો થોડો ય ખાધો નહિ? જુઓ તો ખરા આના કણિયાનો ય સ્વાદ કેવો અફલાતુન છે !' એમ કરી કણિયા ચખાડ્યા; દાઢે ચોટ્યા, તે હવે લાડવો પાછો લાવવા દોડ્યો.
દૂરથી સાધુને જોતાં કહે છે ‘મહારાજ સાહેબ ! ઊભા રહેજો, મહારાજ કહે ‘ખપ નથી.'
‘પણ મારે ખપ છે’
મહારાજના મનને કે ‘એણે લાડવો તો વહોરાવ્યો પરંતુ હવે કોઈ બાધા-નિયમનો ખપ હશે,’ તે ઊભા રહ્યા. પેલો આવ્યો. લાડવો માગવો છે પણ એમ સીધેસીધો કંઈ મંગાય ? તે ભૂમિકા કરે છે-‘સાહેબ ! અહોભાગ્ય મારાં કે આપ મારાં આંગણે પધાર્યા. વળી પણ પધારજો સંયોગ હશે તો દશ લાડવા વહોરાવીશ. સાધુ કહે ‘બહુ સારી ભાવના છે. પણ અત્યારે શું છે ?'
‘આ તો સાહેબ ! બીજું તો કાંઈ નથી આ તો માળો જીવ જરા લાલચુડો બન્યો છે તે એને પેલો લાડવો વહોરાવ્યો હતો ને ? એ ખાવાની લાલસા જાગી છે, માટે જરા મને પાછો દઈ ઘો મારો લાડવો.’
સાધુ કહે ‘વહોરાવ્યા પછી મંગાય ? હવે તો આ ચારિત્રનો માલ થયો. તે પણ ગુરુ મહારાજ કરે તે થાય. વહોરેલા પર મારો હક નહિ. અમે તો ચિહ્નિના ચાકર, ગુરુના માત્ર આજ્ઞા પાલક.
વાણિયો કહે, - ‘પણ ના મહારાજ ! મેં તો તમને આપેલો, એટલે તમને જ ઓળખું. તો દઈ ઘો મારો લાડવો,’
•
Jain Education International
સાધુ ઘણું ય સમજાવે, પણ સમજવું છે કોને ? એને તો એક જ કવિતાની ટેક ગાવાની છે ‘દઈ ઘો મારો લાડવો.’ સાધુએ જોયું કે આ લાડવો છે ત્યાંસુધી એનો રાગ નહિ ઊતરે; તેથી બેસી વાત કરતાં સીફતથી ગુપ્તપણે લાડવો ધૂળભેગો ચોળી નાખ્યો. હજી ય પેલો માગે છે, એને કહી દીધું ‘લાડવો તો જો આ ધૂળમાં મળી ગયો છે. માટે એનો મોહ મૂકી દે.' કહીને ચાલી ગયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org