________________
આર્તધ્યાનનાં લક્ષણો
(૧૭૫) અણગમતી કેમ ટળે, કેમ ન આવે” એ અશુભ વિષે છે. અથવા રોગ-વેદનાની આકુળવ્યાકુળતા, હાયવોય, કેમ એ ટળે,' યા 'પદ્ગલિક કોઈ સુખ-સત્તા કેમ મળે...' વગેરે ચિંતા એ અશુભ અપ્રશસ્ત છે. એના પર મન કેન્દ્રિત થાય તો આર્તધ્યાન છે, અશુભ ધ્યાન છે, અને શાસ્ત્ર કહે છે આર્તધ્યાનથી તિર્યંચગતિનાં કર્મ બંધાય છે તથા રૌદ્રધ્યાનથી નરકનાં.
જીવનમાં આર્તધ્યાન કેટલી વાર આવે છે ? કોઈ વાત બનવા પર કેટલીકવાર માણસ કહે છે કે હું આર્તધ્યાન નથી કરતો.” પરંતુ શાસ્ત્ર આર્તધ્યાનનાં જે લક્ષણ બતાવે છે એની તપાસ કરે કે એ પોતાનામાં વર્તે છે કે નહિ, તો તે પરથી ખબર પડે કે અંતરમાં આર્તધ્યાન છે કે નહિ ? માટે હોય તો આર્તધ્યાન હોવાની ખબર પડે, અને પછી એને અટકાવવાના પ્રયત્ન કરાય. મનથી જો એમજ માની લેવાય કે હું આર્તધ્યાન નથી કરતો,” તો એને અટકાવવાનો પ્રયત્ન જ ક્યાંથી હોય? એટલે અહીં જોઈએ કે અંતરમાં આર્તધ્યાન હોવાનાં કયાં કયાં લક્ષાણો શાસ્ત્ર કહે છે.
કેટલાંક લક્ષણ ઉગ્ર હોય છે, કેટલાંક મધ્યમ અને કેટલાંક સામાન્ય. દા.ત. માણસ આજંદ કરતો હોય, ચીસો પાડીને રોતો હોય, તો એ ઉગ્ર લક્ષણ છે. જેમકે રુએ, પોક મુકે, કે હાય ! મારી ઘડિયાળ ક્યાં ગઈ ?' એ તીવ્ર આર્તધ્યાનનું સૂચક છે. પણ એના બદલે મનને દુઃખ થાય, શોક કરે, ગ્લાનિ રહે, તો એ મધ્યમ કહેવાય. મોટું ઉદાસ રહે, રોકડ રહે, એ બહારનાં લક્ષણ છે. એ અંદરનાં કોઈ આર્તધ્યાનને સૂચવે છે.
મમ્મણ શેઠ જેવો જીવ હોય તો શિરસ્તાડાણ પણ કરે, કશું ખોવાઈ જવા પર યા મફતિયું કે સસ્તુ ન મળવા પર માથું કૂટે. પેટ ફૂટે એ તીવ્ર આર્તધ્યાનનું લક્ષણ છે. આને રોકવા એ બહુ ભારે કામ છે, કેમકે એમાં પૂર્વના કોઈ કસંસ્કારમાંથી વધીને આવી ભારી સ્થિતિ ઊભી થઈ હોય છે. એમ થવાનું કારણ એ છે કે,
માનવભવે વાવેલા “સુ અથવા કુસંસ્કારોને કેટલીકવાર ભવાંતરે ગુણાકાર થાય છે.
ચંડકોશિયા નાગના જીવ સાધુને આવું જ બનેલું ને ? મુનિ પર તો ક્રોધ ફક્ત એટલો જ કરેલો કે નાના સાધુને બરડામાં એક ડંડૂકી લગાવી જરા ચમચમ કરાવું. બસ, પછી બચ્ચો ચીડવવાનું ભૂલી જશે, એટલે ગુસ્સો કરવાની જરૂર નહિ રહે.” આટલો જ ગુસ્સો, પરંતુ એનો ગુણાકાર ચંડકૌશિક સાપના ભવે કેટલો બધો મોટો? સામાનો ગુનો જોવાની તો વાત જ નહિ, કિન્તુ સ્ત્રી કે પુરુષ, બાળ કે બુદ્ધો, મનુષ્ય કે પશુ, ગમે તે નજરમાં આવો, એનું મડદું પાડવાની જ વાત ! કેટલાંય મડદાં પાડ્યાં, છતાં હજી ગુસ્સો ઊભો ! તે મહાવીર પ્રભુને ય છોડ્યા નહિ; એમના ચરણે ય બચકું ભર્યું ! ગુસ્સાના સંસ્કારોનો આ સરવાળો ? કે ગુણાકાર ? ગુણાકાર જ ને!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org