________________
૧૭૪
શષ્યભવ સાધુ બને છે :
શષ્યભવનું સત્ત્વ કેવું ? તત્ત્વધગશ કેવી ? ખોટાંને ખોટું જાણ્યા પછી કાચી સેકંડમાં છોડવાની તૈયારી કેવી ? તત્ત્વ હાથમાં આવ્યા પછી, પૂર્વે મહાતત્ત્વ માનેલાને પણ હવે તત્ત્વશૂન્ય દેખવાની નિર્મળ દષ્ટિ કેવી ? તત્ત્વને જાણવા માટે થનગનાટ કેવો કે તત્ત્વ છૂપાવનાર પૂર્વના ગુરુને ય ભારે દમ દઈ દેવાય ? તત્ત્વરૂપે જિનમૂર્તિ જણાય પછી એને દબાવી રાખનાર મહાપવિત્ર માનેલા યજ્ઞસ્તંભને ય ઊખેડી નાખવાનો જોશ કેવો ? આગળ વધીને તો એ તરત પહોંચ્યા આર્ય પ્રભવસ્વામીજી પાસે, તત્ત્વસ્વરૂપ જાણ્યું, અને ત્યાંજ સંસાર નિર્ગુણ-નિસ્સાર જાણી એનો ત્યાગ કરી ચારિત્ર લઈ લીધું. આ સત્પરાક્રમ કેવું ? બસ, આ બધી વિશેષતાઓમાં ગચ્છનાયક બનવાનું દૈવત અને નેતાપણાની યોગ્યતા ભરેલી છે. આર્ય પ્રભવસ્વામીજી એ જોઈને એમને પોતાની પાટે ગચ્છસંચાલક સમર્થ આચાર્ય તરીકે બેસાડવા યોગ્ય ધાર્યા.
ધ્યાન અને જીવન
એવા એક આચાર્ય હજારો મુનિઓની રક્ષા કરી શકે, સંચાલન કરી શકે. એ જ કરી શકે, બીજા વિજ્ઞાન કે ગુણિયલ પણ નહિ, તેથી જો એવા નેતા બિમાર પડે તો ગણરક્ષા કોણ કરે ? અને આ ગણરક્ષાનું કાર્ય સામાન્ય ન ગણાય; એ તો અસાધારણ ગણાય, એટલે એ તો ખાસ સાચવી જ લેવું પડે, એ માટે જ એવા ગણસંચાલક મુનિ રોગ મિટાવવા નિર્દોષ ઔષધિનું સેવન કરી લે, ત્યાં એમને આર્તધ્યાન નથી હોતું. એ તો મોક્ષમાર્ગે આગળ ધપી રહ્યા હોય છે.
એવા મુનિ બાહ્ય ઔષધ સેવે છે છતાં સાથે તપ અને સંયમના સાચાં ઔષધ બિલકુલ છોડતાં નથી, બલ્કે એમને આના પર જ મુખ્ય મદાર હોય છે કે ‘શારીરિક રોગનો ખરેખર પ્રતિકાર ઔષધ નથી, પરંતુ પ્રતિકાર તપ અને સંયમ છે.’
કેમકે, ખરેખર રોગ તાવ-ખાંસી નહિ, કિન્તુ કર્મ-રોગ એ રોગ છે. માટેજ કર્મરોગ સામે ખરો પ્રતિકાર તપ-સંયમ છે.'
કર્મરોગ છે ત્યાં સુધી તો એકલા તાવ ખાંસી જ નહિ, કિન્તુ બીજી કેઈ આપદાઓ આવશે. માટે કર્મરોગ કાઢવાની મુખ્ય પ્રવૃત્તિ રાખવાની. મુનિને આ સાવધાની છે, માટે દવા સેવનમાં એમને આર્તધ્યાન નહિ.
૧૮ : આર્તધ્યાનનાં લક્ષણો
જીવનને ધ્યાન સાથે એવો ગાઢ સંબંધ છે કે જરા કોઈ વાત પર મન એકાગ્ર કરો કે ત્યાં ધ્યાન લાગ્યું જ છે. એ વાત જો શુભ (પ્રશસ્ત) વાત હોય તો શુભ ધ્યાન અને અશુભ અપ્રશસ્ત હોય તો અશુભ ધ્યાન લાગવાનું. શુભ ધ્યાનથી શુભ કર્મ અને અશુભથી અશુભ કર્મ બંધાય છે. ‘દુન્વયી ગમતી વાતવસ્તુ કેમ મળે, કેમ ટકે,’ અગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org