________________
આભ્યન્તર ત૫-કાયોત્સર્ગ
(૧૭૧) પૂજ્યશ્રીનું જીવન :
સ્વર્ગસ્થ પૂ. આચાર્યદેવશ્રીનું ૬૮ વર્ષનું સમસ્ત ચારિત્ર જીવન એવું હતું. ૩૪ વર્ષ તો હું સાથે રહ્યો એમાં કદી એવું જોયું નથી કે એઓશ્રી “આ કપડું જરા જાડું છે,' યા 'કપડાં મેલાં થઈ ગયાં છે,’ આ ગોચરી જરા અનુકૂળ નહિ” અથવા “આ જગા ઠીક નહિ, ઘામવાળી છે,” કે “અમુક સાધુ મને આવી બોલી ગયો'. આવું કશું મન પર લાવ્યા હોય. 'પ્રતિકૂળ જે આવે તે સહર્ષ સહી જ લેવાનું. ને અનુકૂળને નહિવતુ ગણવાનું,'- આ મુદ્રાલેખ, આ જીવનસિદ્ધાન્ત રાખેલો. આ ગુણ સામાન્ય કોટિનો સમજતા નહિ. આમાં તો વીતરાગ બનવાની સજડ ભૂમિકા પડેલી છે.
મનને પૌગલિક સંયોગ મહત્વ વિનાના લાગે, અને એ ઈષ્ટ-અનિષ્ટ અસર કરનારા ન બને, ત્યારે જ્ઞાનાધ્યાનમાં ખરી લીનતા આવે.
નહિતર તો સહેજ સહેજ અનુકૂળ સંયોગોમાં જો મન લહેવાઈ જતું હોય, તો તો સ્વાધ્યાયધ્યાન ખંડિત બન્યા કરવાના, શાસ્ત્રવાંચન અને તત્ત્વ ચિંતન એવા હૃદયના ઊંડાણને સ્પર્શનારા અને દિલને હચમચાવનારા નહિ બને. બાકી મનને જડસંયોગનું મહત્ત્વ મુકાવી દઈ સ્વાધ્યાય-ધ્યાનમાં એકાકાર કરાય એના લાભમાં પાપક્ષય, પુષ્પાર્જન અને શુભ સંસ્કરણની અવધિ નહિ. આ મહાન લાભો નીરોગી શરીરે થાય, તેથી મુનિ બિમારીમાં દવા લે તે આ ઉદ્દેશથી લે, અને ત્યાં એમને આર્તધ્યાન ન લાગે.
ગાગરક્ષણાર્થે મુનિ દવા લે -
હવે બિમાર મુનિને દવા લેવાનો એક બીજો ઉદ્દેશ ગણરક્ષાનો હોય. જીવનમાં પોતે તો ઘણું સાધ્યું હોય, પણ સાધુ ગણને પોતાની નીરોગી સ્થિતિમાં જે સંભાળી શકતા હોય તે રોગી થવાથી અટકી પડ્યું હોય, તો શું કરે ? પોતે ભલે પોતાના શરીર પ્રત્યે નિસ્પૃહ હોય, છતાં મુનિઓનાં જ્ઞાન-દર્શન-ચારિત્રની રક્ષા એ બહુ મહત્ત્વની ચીજ હોવાથી, એ માટે દવાનો ઉપયોગ કરી આરોગ્ય પ્રાપ્ત કરે. ત્યાં એમને વેદના સંબંધી આર્તધ્યાન નહિ. ઉદ્દેશ ઊંચો છે રોગની વેદનાની ચિંતા નથી, ચિંતા ગણરક્ષાની છે. ગણરક્ષાનું મહત્ત્વ : નેતા કો'ક :
સાધુસમુદાયના સંયમની રક્ષા થઈ જાય તો એ સાધુ સ્વપરની જ્ઞાનાદિ સાધનારૂપ કલ્યાણમાં આગળ વધે; અને એ સુયોગ્ય નેતાની દેખરેખ નીચે જ થઈ શકે. કહે છે ને કે “જેનો સેનાપતિ આંધળો, એ લશ્કર કૂવામાં.” ત્યારે જો સેનાપતિ દેખતો હોય, યાને સમર્થ હોય તો એ સેના વિજય પ્રાપ્ત કરે. એમ આચાર્ય સામર્થ્ય-સંપન્ન હોય, પ્રભાવ પાડે એવા હોય, જાગતા સાવધાન હોય, તો સમુદાયને મોક્ષમાર્ગે આગળ ધપાવી શકે. અવસરે એ કડવું ય કહે, ને અવસરે મીઠું ય કહે, એમની આંખની અસર પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org