SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) | ધ્યાન અને જીવન વાપરવાનું રાખ્યું, સ્વાધ્યાયશ્રમ બંધ રાખો, ને ૮-૧૦ દિનમાં શરીર લષ્ટ-પુષ્ટ થવા માડ્યું. સગાંઓને એ દેખી ખાતરી થઈને આનંદ પૂર્વક મહારાજને ગુરુ પાસે વળાવી આવ્યા. કહો, સ્વાધ્યાયની મગ્નતા-એકાકારતા કેવી ? આવી શ્રુતજ્ઞાનમાં મનની એકાકારતા કેટલી અપરંપાર નિર્જરી કરાવે ? આના ઉદ્દેશથી મુનિ બિમારી ટાળવા જરૂર પડ્યે દવા લે. જુએ છે કે લાભ કેટલો બધો? પૂર્વના કાળે એવાં શાસ્ત્રો લખેલાં નહોતા મળતાં ત્યારે એ બધાં ગુરુ પાસેથી ભણીને અક્ષરશઃ કંઠસ્થ રાખવાનું કાર્ય કેટલું બધું કપરું ? પંડિતને શાસ્ત્ર મોઢે : આજે પણ કાશીના એવા પંડિત હોય છે કે જેમને ન્યાયશાસ્ત્રના ગ્રંથ અક્ષરશઃ મોઢે હોય છે. અમારે ત્યાં એક પંડિતજી આવતા તે એવી રીતે ભણાવતા કે વિધ્યન્યાયશાસ્ત્ર-તર્કશાસ્ત્રનો; એમાં પણ મહાકઠિણ ગણાય એવો અનુમાન ખંડમાંના હત્વાભાસ-પ્રકરણનાં સામાન્ય નિરુકિત’ ‘સવ્યભિચાર” જેવા જટિલ ગ્રન્થનો વિષય! પરંતુ તેનું પુસ્તક પોતાને જરાય હાથમાં લેવાનું નહિ. તેમ અમને પણ પંક્તિઓ બોલવા ન દે. માત્ર પ્રારંભના ૨-૩ શબ્દ બોલીએ કે તરત કહે કે “દેખિયે મહારાજ! સુણિયે.” બસ એમ કહીને ભારે કઠિન એવી ન્યાયની ૫-૩-૧૦ લીટી એટલી બધી સ્પષ્ટ કરીને સમજાવે કે પછી ગ્રંથમાં જોઈ લેતાં મૂળ પંક્તિ અક્ષરશઃ મળી આવે, અને પદાર્થ ચાટલા જેવો દેખાઈ જાય. પંડિતજીને એમ આગળ લગભગ આખો ગ્રંથ મોઢે તે રાત્રે પણ એમ મોઢે ભણાવે. સ્વ. પૂ. ગુરુદેવશ્રીને શાસ્ત્ર મોઢે : ત્યારે સ્વર્ગસ્થ પૂ. ગુરુદેવશ્રી આચાર્ય ભગવંત વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજને કર્મ સિદ્ધાન્તનો અતિ વિશાળ વિષય પણ એવો તૈયાર હતો કે છ કર્મગ્રંથ તો સામાન્ય, કિન્તુ કમ્મપયડી મહાશાસ્ત્ર જેવાના પદાર્થ પણ પુસ્તક હાથમાં લીધા વિના મોઢે જ કલાકોના કલાકો સમજાવ્યું જ જાય. ભણનાર તૈયાર જોઈએ, દહાડે શું કે રાતે શું, ‘લે લેતો જા, માલ તૈયાર જ છે, તારી શક્તિ હોય તેટલું સાંભળ અને યાદ કરી લે,’ આ ધગશ અને એવી પ્રવૃત્તિ ચાલુ હતી. આમ ગ્રંથો મોઢે શી રીતે બનતા હશે? કહો કે જ્ઞાનના પૂર્ણ પરિશ્રમથી અને મનની એમાં એકાકારતાથી. એ એકાકારતા લાવવી હોય ત્યારે બાહ્ય ખાનપાન કપડાંલત્તા વગેરેની બહુ કિંમત ન અંકાય, એમાં સહેજ વાતવસ્તુ અંગે ‘આ બરાબર, આ ઠીક, આ સરસ,” અથવા આ બરાબર નહિ, આ આપણને ન ફાવે.’... વગેરે મનને ન લાગવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy