SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૭૨ એવા સમર્થ સુયોગ્ય નેતાપણાનું પુણ્ય કો’કમાં હોય. જ્ઞાની અનેક મળે. ગુણિયલ અનેક મળે, પરંતુ સમુદાય પર જૈનો પ્રભાવ પડે, અને જે સમુદાયનું આરાધનાના માર્ગે સફળ સંચાલન કરી શકે, એવી વ્યક્તિ તો બહુ વિરલ. આર્ય પ્રભવસ્વામી નેતા શોધે છે : આર્ય પ્રભવસ્વામી પાસે જ્ઞાની અને ગુણિયલ શિષ્યો નહિ હોય ? હતા, પરંતુ એમને પોતાનું આયુષ્ય હવે અલ્પ બાકી રહ્યે ચિંતા થઈ કે ગચ્છનો ભાર કોને સોંપવો ? ગચ્છનો પોતાની પછી નેતા કોણ ?’ આખા મુનિગચ્છમાંથી એવો એક ન જડ્યો, તે બહાર નજર નાખતાં બ્રાહ્મણ શય્યભવ પર નજર ગઈ. એ સમર્થ લાગ્યા. એમનામાં શું દૈવત જોયું હશે ? એનો સહેજ ખ્યાલ શય્યભવના તત્ત્વલગન અને સત્ત્વ-પ્રગટીકરણ પરથી આવી શકે. શષ્મભવ બ્રાહ્મણને કેવી રીતે લીધા ? : આર્ય પ્રભવસ્વામી જ્ઞાનથી પરખીને શય્યભવને લેવા માટે એમના નગરમાં આવ્યા. ત્યાં શષ્યભવ યજ્ઞ કરાવતા હતા, એમના યશવાટકે ગોચરી અર્થે મુનિઓને શિખવાડીને મોકલ્યા. મુનિ ત્યાં પહોંચતાં શય્યભવ એમને યજ્ઞમાં વાડામાં પેસવા ઇન્કાર કરે છે. કેમ વારું ? ‘મુનિઓ સ્નાન ન કરે ને ? તેથી યજ્ઞનો વાડો અભડાઈ જાય,’ એવી એમની માન્યતા: મુનિઓને ના કહેતાં, મુનિઓ કહે છે, 'अहो कष्टं अहो कष्टं तत्त्वं न ज्ञायते परम्' એટલે ? ‘અરે ! અફસોસ છે, અરે ! અફસોસ છે, કે (અહીં આડંબર છે.) પરંતુ તત્ત્વની ગતાગમ નથી !' આટલું બોલીને મુનિઓ ચાલી ગયા. તત્ત્વની લગનવાળા શષ્યભવ આ સાંભળીને શાના ઝાલ્યા રહે ? એ એટલું સમજે છે કે જૈન મુનિઓ ભલે એમના નિયમ મુજબ સ્નાન ન કરે, પરંતુ એ મહાવ્રતધારી હોય છે તેથી કદી અસત્ય ન બોલે. તો મુનિઓ આ જે અહીં બોલી ગયા, તે સત્ય જ હોય એ હિસાબે અહીં જે ચાલ્યું છે તેમાં કશું તત્ત્વ ઢંકાઈ ગયેલું લાગે છે. તો એ જાણ્યા વિના આ બધો યજ્ઞનો આડંબર નકામો છે. માટે પહેલાં એ જાણું.' બસ, શસ્થંભવે સીધા યજ્ઞના મુખ્ય ગોરને જ પકડ્યા. પૂછે છે, ‘બોલો, આ બધા પાછળ તત્ત્વ શું છે ?’ તે બ્રાહ્મણભાઈ એમ સાચો જવાબ દે ? એ તો કહે ‘અરે ! તત્ત્વ ? વેદશાસ્ત્રના આ મંત્રો અને યજ્ઞક્રિયા એ જ તત્ત્વ છે. એનો જ પ્રભાવ પડે છે. સ્વર્ગના દેવતાઓ આ આહુતિઓ સ્વીકારી યજ્ઞકારક પર પ્રસન્ન થાય છે...’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy