SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ધ્યાન અને જીવન એટલે જ મંદિર-નિર્માણ અને મૂર્તિપૂજા વગેરેનાં કાર્યમાં ઉદ્દેશશુદ્ધિ અને ઉપાયશુદ્ધિ રહેવાથી એ કાર્ય પ્રશસ્ત બને છે. એવાં તો અનેક શુભ કાર્ય છે. (૨) યાત્રાસંઘ (૩) સાધર્મિક વાત્સલ્ય, (૪) તપસ્વિની પારણાભક્તિ, (૫) મુમુક્ષુ દીક્ષાર્થીની ભક્તિ, (૬) એનો દીક્ષાવરઘોડો, (૭) ગુરુનો પ્રવેશ મહોત્સવ, આ બધાં કાર્યોમાં આરંભસમારંભ તો થવાનો જ, છતાં ઉદ્દેશ ઊંચો છે. તો એકલી હિંસા જ દેખનારને આના મહાન લાભ ક્યાંથી મળે? (૨) યાત્રાસંઘમાં ઉદ્દેશશુદ્ધિ શી ? આ કે આમાં આવેલા એટલા દિવસ સાંસારિક ગડમથલ અને વૈયિક પ્રવૃત્તિથી બચવાના, અને રાત દિવસ પરમાત્મા, તીર્થ, અને ધર્મના વિચાર વાણી-વર્તાવમાં રક્ત રહેશે, અંતરમાં અધ્યવસાય મોટા ભાગે એના ને એના ચાલવાના. આ બધું કેટલા બધા મહાન લાભ માટે થાય ? આવો પગપાળો યાત્રાસંધ જ ન હોય, તો ક્યાંથી એ લાભ ? તેમ સંઘ કાઢનાર પણ એ બધા યાત્રિકોને એ આરાધનાં કરવામાં નિમિત્ત બનવાનો ને એમની આરાધનાની સક્રિય સભોગ અનુમોદના કરવાનો લાભ ક્યાંથી પામે ? એમ (૩..૭) સાધર્મિક અથવા તપસ્વીની ભકિતમાં ધર્મબહુમાન, ધર્મિ-બહુમાન, તપ આદિની અનુમોદના...વગેરે લાભ મળે. દીક્ષાદિના વરઘોડા તથા ગુરુસ્વાગત આદિથી ઇતરોમાં જૈન ધર્મની પ્રભાવના, જૈનોમાં વિશેષ ધર્મપ્રેરણા... ઇત્યાદિ લાભ મળે. આવા લાભ આ યાત્રાસંધ આદિ દ્વારા જ મળે. હવે જો એક જ અજ્ઞાન પૂંછડું પકડી રાખે કે ‘એમાં તો આરંભ સમારંભ થાય માટે એવા કાર્ય ન કરવાં' તો પછી એ બધા અનન્ય લાભ ક્યાંથી મળવાના ? એટલે એવા ઉચ્ચ લાભના ઉદ્દેશથી યાત્રાસંઘ લઈ જવા વગેરે સુકૃત કરે તો એમાં ઉદ્દેશ સુંદર ભવ્ય હોઈ આરંભ-સમારંભવાળાં પણ એ કાર્યો પ્રશસ્ત કાર્ય છે. મુનિ દવા કરે એમાં ઉદ્દેશશુદ્ધિ આજ હિસાબ મુનિ દવા કરે એમાં છે. ઉદ્દેશ ઊંચો છે. ઉદ્દેશ એવો હોય કે (૧) ‘ભગવાનની જે જ્ઞાનપરંપરા મારા સુધી ચાલી આવી છે, એ જો હું સાજો થઈ જાઉં તો બીજાને આપી એ પરંપરા આગળ પહોંચાડું.' આ ઉદ્દેશ કેટલો બધો ભવ્ય છે! જો દવા ન કરવાનો આગ્રહ પકડી રાખે તો બિમારીવશ પોતે બીજાને જ્ઞાન ન આપી શકે. પછી જ્ઞાનપરંપરા શી રીતે આગળ ચાલવાની ? એટલે મુનિનો ઉદ્દેશ દવા કરીને શરીર સ્વસ્થ બનાવી જ્ઞાનપરંપરા અખંડ ચાલુ રાખવાનો છે. દવા વિના મનોબળથી રોગ સહન થઈ શકે છે, પણ અશક્ત શરીરે શાસનનો ટકાવ કરવાનું કાર્ય શી રીતે કરે ? તેથી એ કરવા દવા લે. આ પ્રશસ્ત આલંબન છે. આલંબન એટલે આધાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy