SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ I આભ્યતર તપ-૬ : કાયોત્સર્ગ | નિર્દોષ ન્યાયયુક્ત જોઈએ. એટલા જ માટે અહીં મુનિ રોગનિવારણની ચિંતા કરે છે તે રોગને નિર્દોષ ઉપાયથી નિવારવાની. ઔષધ-ઉપચાર સેવે તે નિરવધ નિર્દોષ, થાને જેમાં સાધુને પોતાને માટે એ દવાપધ્ય બનાવેલા ન હોય. અથવા એ સચિત્તસજીવ ન હોય. મુનિ આવા ઔષધ ઉપચાર કરે. તો એમાં બે વસ્તુ આવી, (૧) ઉદ્દેશશુદ્ધિ અને (૨) ઉપાયશુદ્ધિ. એ હોય એટલે મુનિના રોગનિવારણની ચિંતા આર્તધ્યાન નહિ બને. આ વસ્તુ દરેક શુભ કાર્યમાં લાગુ થાય. શુભ કાર્ય માટે બે તવ જરૂરી,(૧) ઉદ્દેશ શુદ્ધ જોઈએ અને (૨) ઉપાય શુદ્ધ જોઈએ. મંદિર બંધાવવું છે તો આરંભ સમારંભ તો થવાનો, પરંતુ એ પાપકાર્ય કેમ નહિ? કહો (અ) ઉદ્દેશ શુદ્ધ છે, (૧) સ્વયં પરમાત્મભક્તિ કરવાનો, અને (૨) બીજાઓને સમ્યગ્દર્શનાદિ પમાડવાનો તથા (૩) પામેલાને નિર્મળ કરાવવાનો છે. વળી સાથે (બ) ઉપાય શુદ્ધ છે એટલે કે એના ખર્ચનું દ્રવ્ય ન્યાયપાર્જિત છે, અને ભૂમિ શુદ્ધ, પાષાણ વગેરે શુદ્ધ તથા કારીગરોને પ્રસન્ન રાખી કામ લેવાનું છે. આમ ઉદ્દેશશુદ્ધિ અને ઉપાયશુદ્ધિ સચવાય એટલે મંદિર નિર્માણમાં આરંભ-સમારંભનું કાર્ય હોવા છતાં એ પવિત્ર કાર્ય બને છે. મૂર્તિપૂજા-વિરોધીને પ્રશ્ન : મંદિરનિર્માણ અને મૂર્તિપૂજામાં નહિ માનનારને આ ખબર નથી એટલે વિરોધ કરે છે, કિન્તુ એને બીજે ઠેકાણે તો આ માનવું જ પડે છે. દા.ત. (૧) ચોમાસામાં વરસતા વરસાદમાં યા વરસ્યા પછીના કાચા પાણીમાં ચાલીને શ્રાવક સાધુને વંદન કરવા અને વ્યાખ્યાન સાંભળવા જાય કે નહિ ? જો કહો ન જાય, તો એનાં આ આવશ્યક ધર્મ-કર્તવ્ય ગુરુવંદન તથા જિનવાણીશ્રવાણ નહિ ચૂકે ? વળી એટલો સમય ઘરમાં બેસી રહી આરંભસમારંભ કે વિષયભોગના પાપકાર્યમાં રહેશે તેનું શું ? અલબત્ કાચા પાણીમાં ચાલીને જતાં એટલો જીવ-વિરાધનાનો આરંભ-સમારંભ છે, પરંતુ સાથે ગુરુવંદન અને જિનવાણીશ્રયાગનો મહાન લાભ મળવાનો ઉદ્દેશ છે, એ ઘરમાં બેસી રહેવાથી નહિ મળે. કદાચ મનને રહે કે “સાધુ પાસે જાય તો ત્યાં વરસાદના સચિત્ત પાણીના જીવની હિંસા થાય તેનું શું ?' પરંતુ અહીં સમજવાનું છે કે આ સાધુસેવા માટે વરસાદમાં જવાની પ્રવૃત્તિનો ઉદ્દેશ શુદ્ધ છે, તેમજ જયાગાપૂર્વક જાય એટલે ઉપાયશુદ્ધિ પણ સચવાય. આમ ઉદ્દેશ શુદ્ધિ ઉપાય-શુદ્ધિથી થતું વ્યાખ્યાન-શ્રવાણાર્થ ગમન એ શુભ કાર્ય બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy