SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ધ્યાન અને જીવન કરી રોગ શાંત થતાં એ યોગની સાધના બરાબર થઈ શકે એ માટે એનું સેવન કરે છે. તો શું દવાથી રોગનાં કર્મ અટકી જાય ? ના, કર્મ તો એની સ્થિતિ પાક્યે ઉદયમાં આવવાનાં, પરંતુ પ્રબળ નિમિત્ત મળ્યે તેવાં તેવાં કર્મ પ્રગટ ઉદય દેખાડશે, ને ત્યાં બીજાં કર્મ અવ્યક્ત ઉદયથી ચાલ્યાં જશે. દવાથી શાતાવેદનીય કર્મ પ્રગટ ઉદયમાં આવતાં અશાતા વેદનીકર્મ એમજ અવ્યક્ત ઉદય પામી નષ્ટ થવાનાં, ત્યારે જો અશાતાકર્મ બલવાન હશે તીવ્ર રસવાળા હશે, તો દવાની અસર જ નહિ પડવા દે, શાતાવેદનીયને વ્યક્ત ઉદયમાં આવવા જ નહિ દે. મુનિ દવા કેમ કરે ? : (૧) એટલે મુનિ અશાતા-વેદનીયકર્મને નિમિત્ત પામી દબાવવાનો સંભવ માની દવા-ઉપચાર કરે છે. પરંતુ પોતાના સ્વાધ્યાય વૈયાવચ્ચ આદિ યોગ ન સીદાય અને બરાબર સેવાતા રહે એ હેતુથી ઔષધ ઉપચાર કરે છે. (૨) અથવા મુનિ જુએ કે મારી પાસે જે શ્રુત-શાસ્ત્રબોધ છે, એ બિમાર અવસ્થામાં બીજાને આપી નથી શકતો, અને એમ તો આ શ્રુત એમજ મારી સાથે નષ્ટ થઈ જશે, આગળ પરંપરા નહિ ચાલે; તો પછી શાસન શી રીતે ટકવાનું ? માટે ઔષધોપચારથી રોગ ટાળી સ્વસ્થ થાઉં, જેથી બીજાને શ્રુતદાન કરી શાસન પરંપરા ટકે.’ આ હિસાબે મુનિ દવા ઉપચાર કરે. (૩) અથવા, મુનિના માથે ગચ્છ સંભાળવાની જવાબદારી હોય તો એની રક્ષા કરવી એ બહુ મોટું કર્તવ્ય છે, ફરજ છે. એ અદા કરવી જ જોઈએ. પરંતુ રોગની પીડામાં એ થઈ શકતું ન હોય, તેથી રોગ હટાવવા દવા લેવી પડે. તો અહીં ઉદ્દેશ બહુ ઊંચો છે. ‘જો આ દવાથી સ્વસ્થતા થાય, તો હું ગગને સંભાળી શકું, સારણાવારણાદિ કરી શકું,’ આ ઉદ્દેશમાં વેદના મટવાની ઇંતેજારી નથી, પરંતુ ગણરક્ષાની ઈંતેજારી છે. તેથી અહીં આર્તધ્યાન નથી. આમાં બહુ સરસ મુદ્દો બતાવ્યો. રોગ કાઢવાની ચિંતા તો મુનિ કરે જ છે, છતાં એમાં આર્તધ્યાન કેમ નહિ ? (૧) પોતાના સ્વાધ્યાયાદિ યોગ સીદાય છે એ ન સીદાય. યા (૨) શ્રુતપરંપરા ટકાવવી છે એટલે કે આગળ જ્ઞાન પોતાની પછીના મુનિઓમાં ચાલું રાખવું છે અને તે સ્વસ્થ શરીરે જ બીજાઓને જ્ઞાન-દાન કરીને ટકી શકે; અથવા (૩) ગણરક્ષા સ્વસ્થ શરીરે જ થઈ શકે એમ છે; એવા શુભ ઉદ્દેશથી જ રોગ કાઢવાની ચિંતા છે, માટે એ આર્તધ્યાન નહિ. આમ, ઉદ્દેશ જો પવિત્ર આવી જાય તો એ ચિંતાને અશુભને બદલે શુભ કરી દે છે. એટલે કોઈપણ કાર્ય કરતી વખતે ઉદ્દેશની શુદ્ધિ-પવિત્રતા પ્રશસ્તતા એ બહુ મહત્ત્વની ચીજ છે. અલબત્ કાર્ય કરવાના ઉપાય પણ શુદ્ધ જોઈએ, સાધન પવિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy