SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ આભ્યન્તર તપ-૬ : કાયોત્સર્ગ ૧૬૫ ખલાસ, તો શુભ ફળ ડૂલ. માટે વર્તમાન ચંચળ ફળમાં ઉન્માદ ઘેલછા શી કરવી? ત્યારે અશુભ ફળ એ અશુભ કર્મના ઉદયમાં નિર્ધારિત સ્થિતિ છે. એવાં કર્મ ઉદય પામે એટલે આવું ફળ આવે જ. સાંજ પડે એટલે સૂર્યાસ્ત થાય જ. ત્યાં દુઃખ શું કરવું ? દીન રાંક શું બનવું ? આ જબરદસ્ત આશ્વાસન છે કે શુભાશુભ ફળ શુભાશુભ કર્મના લીધે જ. ત્યાં જાતવડાઈ-અભિમાન કરવું નકામું, બીજાનો દોષ દેવો નકામો. શ્રીપાળકુમાર આ સમજતા તેથી ધવળને દુઃખ દેનાર તરીકે નહિ, પણ પોતાનાં અશુભ કર્મને જ દુઃખદાયી માને છે. પછી ધવળને એના અન્યાયની શિક્ષા કરવાનો અધિકાર માનેજ શાના ? મગજમાં એનું ખાનું જ નહિ. ‘બીજાનાં અન્યાય-આચરણ પર ગડમથલ કરવા મારું મન નવરું ક્યાં છે ? મનને પોતાનાં કર્મ-કર્મફળ-કર્મકારણ પર નજર રાખવાનું ચિંતવવાનું ઘણું છે.’ પ્ર૦- પણ સામો અન્યાય કરવામાં આપણી પૂંઠે જ પડ્યો હોય તો ? ઉ૦- ધીરજ રાખો, ભૂલો નહિ કે આપણાં અશુભ કર્મ વિના તો આપણું કોઈ બગાડી શકે જ નહિ. ઠીક છે આપણા ચિત્તની સમાધિ માટે એવાથી આપણે આધા ખસી જઈએ. પરંતુ અનિવાર્ય જ હોય, પાસે આવી જ પડે, તો એના અન્યાયને દબાવવાનો અધિકાર માનવા કરતાં સમાધિનો તથા નવા અશુભ કર્મનાં કારણ રોકવાનો અધિકાર જ માનવો, એ માનીને કર્મકારણો રોકી સમાધિ રાખવામાં ભારે પુરુષાર્થ કરવો. આ અધિકાર બજાવવામાં કેવો સરસ લાભ ? સમાધિથી શાંતિ, અને નવાં પાપસેવન બંધ. જ્યારે આપણી પોતાની પ્રત્યેનો અન્યાય પર પણ ગડમથલ નહિ કરવાની તો આપણે લેવા દેવા નહિ એવા બહાર ચાલતા અન્યાય પર તો વિચાર શા માટે કરવો ? ત્યારે બોલો, કોઈનો ઝગડો જોવા ઊભા, તો એ નિમિત્ત પામી શું કમાયા ? ત્યાં ન્યાય-અન્યાયમાં મન ઘાલવા જતાં રાગ-દ્વેષ કમાયા. એમાં વળી ‘અન્યાયીને તો દબાવવો જ જોઈએ, ઠોકવો જ જોઈએ,' એવી માન્યતામાં હિંસા ક્રોધ અભિમાન વગેરે પાપને કર્તવ્ય માનવા જતાં કદાચ સમકિતનો નાશ અને મિથ્યાત્વનો ઉદય કમાવાનો અવસર આવીને ઊભો રહે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું નિમિત્ત પામીને કર્મ ઉદયમાં આવે એ આનું નામ. એ નિમિત્ત સેવો એટલે કર્મ ઉદય પામી ફળ દેખાડે. எ વાત એ હતી કે મુનિ જો રોગને કર્મનો નિર્ધારિત ઉદય સમજે છે તો પછી દવાઉપચાર શું કામ કરે ? આના ઉત્તરમાં કહ્યું કે મુનિને અલબત્ પીડાની હાયવોય નથી કિન્તુ એમાં પોતાના સ્વાધ્યાય-વૈયાવચ્ચ આદિ યોગ સીદાય છે, તેથી ઔષધોપચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy