SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર ત૫-૬ઃ કાયોત્સર્ગ | ૧૬૩) રાજા શ્રેણિક ન્યાયી, કોણિક ગર્ભમાં આવ્યો ત્યારે માતાને એના પાપે પતિ શ્રેણિકના આંતરડા ખાવાનો દોહદ થયેલો. એથી માએ કોણિકને જનમતાં ઉકરડે મૂકાવેલો. પરંતુ શ્રેણિકને ખબર પડતાં એને પાછો લેવરાવી અલગ ઉછેરાવેલો. હવે એ મોટો થઈ જતાં અભયકુમારની ગેરહાજરીનો લાભ લઈ પ્રપંચ કરીને પિતા શ્રેણિકને કેદમાં નખાવી પોતે રાજ્યગાદી પર ચડી બેસે છે. બોલો, ઉકરડેથી કોણિકને બચાવી લેનાર પિતાના આ હાલ કરવા, એ કોણિકનો ઘોર અન્યાય ખરો ને ? પરંતુ શ્રેણિકે એ મન પર લેવાનો અધિકાર ખરો ? ના, અને શ્રેણિકે કેદમાં પડ્યા પણ એ મન ઉપર લીધો નહિ. ત્યાંસુધી વેશ્યા સારી. પરંતુ અંતકાળે ભૂલ્યા. મન પર એ આવી ગયું, કે હું ? તને જનમતાં બચાવેલો, ને તું હરામખોર આ અન્યાય કરે ?..' બસ, સામાનો અન્યાય મન પર લીધો એટલી વાર ! શુભધ્યાન ગયું, ભયંકર રૌદ્રધ્યાન અને કબગ લેશ્યામાં ચડ્યા. પરિાગામ ? પટકાઈ ગયા નરકમાં. બોલો, બીજાનો અન્યાય જોવામાં કાંઈ સારું મળે ? સામાનો ધરાર અન્યાય પણ આપણે મન પર ન લઈએ તો જ સુખી અને શાંત. શું શ્રીપાળે ધવળનો અન્યાય મન પર લીધો ? : શ્રીપાળકુમારની સામે ધવળશેઠનો કેટકેટલો અન્યાય હતો ? પહેલાં તો એણે થંભેલા વહાણ ચલાવવા શ્રીપાળને બત્રીસલક્ષણા પુરુષ તરીકે ભોગ આપવા ધારેલું, અને એ માટે ઝઝુમેલો. પાણ એમાં ઊંધા પડ્યા. પોતાના જ સુભટો ઘવાયા. હવે એ શ્રીપાળને વિનવાણી કરે છે કે “મારાં વહાણ ચલાવી આપવા મહેરબાની કરો,’ તો શું એ શ્રીપાળકુમારે એનો અન્યાય મન પર લઈ એને તતડાવ્યો ખરો કે શું મોટું લઈને આ માગણી કરી રહ્યો છે ? તારે તો મારો ભોગ આપીને વહાણ ચલાવવા હતા ને ? ચલાવ ત્યારે.... શું આવો ટોણો માર્યો ? ના, જરાય નહિ. એ તો તરત ઊઠીને ગયા બંદરે, અને વહાણ ચલાવી આપ્યા. કેમ? મન પર સામાના અન્યાયની લોથ લીધી નહોતી. તો શું બગડ્યું ? પરોપકાર કરવાની તક મળી તે સાધી. અન્યાયના વમળમાં અટવાયેલું મન પરોપકાર માટે મુડદાલ હોય છે; પછી પાણ ધવળે શ્રીપાળને દરિયામાં ફેંકવા જેટલો મહાન અન્યાય કરેલો છતાં, અને થાણાના રાજાની આગળ શ્રીપાળને ડુંબ-ભંગીના સગા તરીકે ઓળખાવવા અન્યાયી પેંતરો રચેલો છતાં, રાજને સાચી હકીકતની ખબર પડી તો શ્રીપાળની વાહવાહ થઈ. રાજાએ ધવળને મારી નાખવા લીધો ત્યાં શ્રીપાળે શું કર્યું ? એનો ઘોર પાગ અન્યાય મન પર ન લેતાં એને જીવતદાન અપાવ્યું. શ્રીપાળનું એમાં શું બગડ્યું ? કહેજો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy