SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨) | ધ્યાન અને જીવન | પાલકે તે માન્યું નહિ, એટલે આચાર્યને એનો અન્યાય લાગી એને દબાવવાનું મનમાં આવ્યું. તો જો કે પાંચસો તો ઘાણીમાં પલાઈ પીલાઈને મોક્ષ પામી ગયા, પણ આચાર્ય ઘાણીમાં પીલાવા છતાં સંસારમાં અટકી પડયા. મરતાં આર્ત-રૌદ્ર ધ્યાન એવું નહિ હોય એટલે દુર્ગતિમાં ન જતાં દેવગતિમાં ગયા, પણ ત્યાં જઈને પછી કામ શું કર્યું ? ગુસ્સામાં આવી આખા નગરને ધૂળથી દાટી દીધું. નગરના બધા સ્ત્રી-પુરુષ બાળબચ્ચા પશુ બધા જ સાફ ! કેવું ભયંકર કૃત્ય ? હું ન્યાયી, ને પાલક છેલ્લે આટલું પાગ મારુ નથી માનતો તે અન્યાયી' એમ ફસાયા. ત્યારે અન્યાય ન જોવામાં ૫૦૦ તરી ગયા; કેમકે એમને આચાર્યો જ બતાવ્યું કે, 'જો જો હોં પાલકને દુશમન કે અન્યાયી માનતા નહિ કે “અમને વગર વાંકે પીલવા તૈયાર થયો છે. આપણા પોતાનાં પૂર્વ પાપકર્મ સિવાય આપણને પીડા આવે જ નહિ. બાકી પાલક તો ઉપકારી છે કે એ આ રીતે આપણાં કર્મ ભોગવાઈ નાશ પામવામાં સહાય કરી રહ્યો છે. માટે એને ઉપકારી માની એના પર લેશમાત્ર પાગ દેષ નહિ કરતા.’ આમ સાધુઓને શિક્ષા મળેલી, તેથી એમના મનમાં પાલકનો જરાય અન્યાય ન લાગ્યો, તો જ મોક્ષ પામ્યા, પીલાઈ તો ગયા હોત, પાગ ન્યાય-અન્યાયની ગડમથલમાં પડયા હોત તો સંસારમાં અટકી પડત, મોક્ષ પામત નહિ. ખંધકસૂરિ પોતે પણ અહીં સુધી અન્યાય પર ચિત્ત લઈ ગયા નહોતા, પરંતુ બાળ મુનિની પહેલાં પોતાને પીલવાની માગણી કરી, અને પાલકે એ ન સ્વીકારી ત્યાં મન પાલકના અન્યાયની ગડમથલમાં પડ્યું, 'હે ? ૪૯૯ ને તું પીલી નાખે ત્યાં સુધી હું બોલતો નથી, ને તું આટલું પણ નથી માનતો ? હવે બતાવીશ તારા અન્યાયનું ફળ’ બતાવ્યું, પણ એથી વળ્યું શું ? પોતાનો મોક્ષ થયો ? ના, તો શું પાલક સુધરી ગયો ? ના, નગરવાસીઓ ધૂળમાં દટાઈ ગયા એમની સગતિ થઇ ? ના, કશું સારૂ નહિ. ચારસો નવાણુંને પીલી નાખવા સુધીમાં અન્યાય ન જોયો, અને છેલ્લા બાળ મુનિને પોતાની પહેલાં ન લેવાનું ન કર્યું એમાં અન્યાય માન્યો, તોય સંસારમાં અટકી ગયા, પાંચસોને જે ક્ષપકશ્રેણી ને કેવળજ્ઞાન પર પોતે ચડાવ્યા હતા તે પર પોતે ન ચડી શક્યા. તે પછી સામાના વિશેષ અન્યાયની ગડમથલમાં પડવામાં શો લાભ થાય ? એમ સમજતા નહિ કે “આ તો સાધુ મહારાજની વાત છે, તે એમને બીજાના અન્યાય જોવાના ન હોય; બાકી ગૃહસ્થને તો એ જેવા પડે, એને વાંધો નહિ;' - આવું સમજતા નહિ. કેમકે ગૃહસ્થ પણ એ જોવા જશે તો એને ય કષાય, પરપીડાબુદ્ધિ, અને દુર્ગાન જ થવાનું. એથી દુર્ગતિ જ થાય. શ્રેણિકને કોણિકનો અન્યાય જોતાં શું થયું ? : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy