SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ આભ્યન્તર તપ-૬ : કાયોત્સર્ગ (૧૬૧) - એવું શાસન કહે છે? ના, શાસન અપ્રશસ્ત કષાયોને તો અકર્તવ્ય જ કહે છે, પછી ભલે સામો અનાડીવેડા કરતો હોય, પણ દુન્યવી ચીજ ખાતર કષાય એટલે તો ઝેર, વિષભક્ષણ તો એ અકર્તવ્ય જ. ઝાંઝરિયામુનિ, અંધકમુનિ, ગજસુકુમાળ વગેરે કેવળજ્ઞાન કેમ પામ્યા ? એમના પર ઉપસર્ગ કરનારા સામા અનાડી જ હતા ને ? હવે જો એના પર કષાય કરવાનું કર્તવ્ય માન્યું હોત તો કેવળજ્ઞાન મળત ? ના, સામાને પછીથી ભારે પ્રશ્ચાત્તાપ થતાં કેવળજ્ઞાન થયું, પરંતુ આ મુનિ જો કષાયને કર્તવ્ય માનવા ગયા હોત તો કેવળજ્ઞાનની તો વાતે ય શી ? સમ્યકત્વ પણ ગુમાવી નાખત. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સમ્યકત્વ ગુમાવ્યું ને? નહિતર સમકિત ગુમાવ્યા વિના સાતમી નરકનાં પાપ કયાંથી બાંધત ? નરકને યોગ્ય કર્મ પહેલાં જ મિથ્યાત્વ-ગુણસ્થાનકે બાંધે એ નિયમ છે. એટલે ભલે પોતાના મનથી પોતાની જાતને ન્યાયી માની, દિવાને નાના છોકરાનું રાજ્ય પચાવી લીધું એટલે ભારે વિશ્વાસઘાતી છે, ગુનેગાર છે,” એમ કરી અને અન્યાયી માન્યો અને હવે એને શિક્ષાયોગ્ય માની એના પર કષાયમાં ચડ્યા. 'ન્યાયથી કરાય કે અન્યાયથી પણ કષાય એ પાપ છે' એમ જોવું ભૂલ્યા, એટલે પણ મિથ્યાત્વ-ગુણઠાણે ઊતર્યા, અને કષાય અતિ ઉચ્ચ કોટિનો અનંતાનુબંધીના ઘરનો કર્યો, તેથી પણ સમ્યકત્વ ગુમાવી મિથ્યાત્વે પડયા. પછી તો ત્યાં ઉત્તરોત્તર નીચી નીચી નરકનાં પાપ બાંધવા માંડયા, તે ઠેઠ સાતમી સુધી પહોંચ્ય!” “અન્યાયીને તો દબાવવા જ જોઈએ” એવો અધિકાર બનાવવામાં શું પરિણામ આવ્યું ? સારાંશ, ન્યાયીને પણ કષાય કરવાનો ને સામાને દબાવવાનો અધિકાર પહોંચતો નથી, અધિકાર માને અર્થાત્ સામાને એના અન્યાય પર દબાવવો જ જોઈએ એવું માને એમાં તો પરપીડા, અભિમાન, વગેરેને કર્તવ્ય માનવાનું થાય, એમાં તો સમકિત જાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેમ પડયા હતા ? અન્યાયી દિવાનને દબાવવાનો અધિકાર માન્યો અને એથી મનોમન એની સાથે ઝગડયા એમાસ્તો. લાખો પૂર્વ વર્ષો સુધી મા ખમણને પારણે મા ખમણ કરનારો અગ્નિશર્મા કેમ પડયો ? રાજાને પારણું ચૂકાવનાર તરીકે અન્યાયી માની એને દબાવવાનું કર્તવ્ય માન્યું એટલે ચૂકયો. ખંધકસૂરિ અન્યાયની ભાંજઘડમાં અટકયા. પાલક પાપીએ ખંધકસૂરિના ૫૦૦ મુનિશિષ્યોને ઘાણીમાં પીલી નાખ્યા, એમાં આચાર્ય મહારાજે છેલ્લા બાળ મુનિની પહેલાં પોતાને પીલવા લેવાનું કહ્યું, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy