________________
ધ્યાન અને જીવન
૧૬૦
આ રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે કોઈ મોહની લાગણી ઊભી કરશે, મોહનીય કર્મને વિપાકોદયમાં લાવશે.
ઝગડો જોવામાં શું નુકસાન ?
દા.ત. કોઈનો ઝગડો જોવો એ અસત્ નિમિત્તનું સેવન છે. તમે રસ્તેથી ચાલ્યા જાઓ છો, આમાં વચમાં કોઈ માણસોમાં ઝગડો ચાલી રહ્યો છે. હવે જો તમે જોવા ઊભા, તો સમજી રાખો કે એ ઝગડો કરનારામાં એકના પર રાગ અને બીજા પર દ્વેષ જાગવાનો. શી જરૂર હતી ભાઈ ! આ રાગ-દ્વેષ વહોરવાની ?
૫૦ પણ ન્યાયી પર રાગ થાય એમાં શો વાંધો ?
ઉ૦ - વાંધો એ, કે પછી એ ઝગડો કરે છે, એનાં પર પણ રાગ થવાનો; ને એ ખોટું.
બીજાનાં ન્યાય-અન્યાય જોતા નુકસાન
ન્યાયીને પણ ઝગડો કરવાનો અધિકાર નથી.
ઝગડો ચીજ જ સારી નથી કેમકે આમાં ચિત્ત કલેશ-કષાયમાં પડે છે.
હવે ન્યાયી પર રાગ કરવા ગયા એટલે સહેજે એનો ઝગડો એનો ચિત્ત-કલેશ અને એનો કષાય વ્યાજબી લાગવાના, એની અનુમોદના થવાની. મનને એમ થવાનું કે ‘આવો તે અન્યાય કેમ સહન થાય ? આવા અન્યાયીને તો બરાબર દબાવવા જ જોઈએ' શું કર્યું આ ? ચિત્તકલેશ તો કર્યો પણ ‘સહન ન થાય. સહન કરાય એ ખોટું’ એમ કરી ચિત્તકલેશના પાપ પર કર્તવ્યતાની મહોર છાપ મારી, કષાયને વ્યાજબી ગણ્યો. આમાં તો સમ્યક્ત્વ પણ નાશ પામે. તો કેટલું ખોયું ? બીજાનો ઝગડો જોવામાં સમકિતનો નાશ.
મનની વૃત્તિઓ તપાસવા જેવી છે કે, એ મિથ્યાત્વ સુધી તો નથી પહોંચી જતી ને ? એની તકેદારી રાખવી પડે. આપણે પોતે ન્યાયી હોઈએ, આપણે ગુનો ન કર્યો હોય, છતાં એ શાહ થતો હોય, ઉપરથી પોતાનું ઢાંકી આપણને દબડાવતો હોય તો ત્યાં આપણા મનને શું લાગે ? ‘સામા અન્યાયીને દબાવવો જ જોઈએ, આપણે ન્યાયી છીએ તો સામા અનાડીને દબાવવાનો આપણો અધિકાર છે,’ - આવું લાગે કે નહિ ? ને જો લાગે તો મનને થાય ને કે ‘આ કરવામાં કશું ખોટું નથી કરતા ? એમ પાપમાં ખોટાપણું ન લાગે ત્યાં આપણે મિથ્યાત્વમાં પડયા કે નહિ ? ભૂલશો નહિ. સામાને દબાવવાનું કષાય કર્યા વિના કરી શકીશું ? ના, તો પછી કષાયથી દબાવવાનું ઠીક માન્યું ને ? ત્યારે જુઓ,
જૈનશાસન શું કહે છે ?
‘સામાનો વાંક હોય તો એના પર ક્રોધ કર્તવ્ય અને નહિ તો ક્રોધ કર્તવ્ય નહિ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org