SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ આભ્યન્તર ત૫-૬ : કાયોત્સર્ગ ૧૫૯ ઉ૦ - દરેક કર્મને કાળસ્થિતિ તો નિયત હોય; પરંતુ કેટલાંક કર્મ સનિમિત્તક ઉદયવાળા હોય છે.એટલે એવાં કર્મની કાળસ્થિતિ પાકયે ઉદય તો પામે, પરંતુ નિમિત્ત કોઈ દ્રવ્ય-ક્ષેત્રાદિ જો ત્યાં હાજર હોય તો ઉદય વ્યક્ત દેખાય, ફળ પ્રગટ થાય; અને નિમિત્ત હાજર ન હોય તો ફળ પ્રગટ ન થાય; અને કર્મ એમ જ ઉદય પામી ચાલ્યું જાય. આવા ઉદયને પ્રદેશોદય કહેવાય છે. ફળ દેખાડે એ વિપાકોદય. નિમિત્તની વ્યક્ત કર્યોદય પર પ્રચંડ અસર : દા.ત. બિમાર હતા તો ત્યાં અશાતા વેદનીય કર્મ ઉદયમાં હોઈ ફળ પ્રગટ હતું. પણ પછી આબૂ પર જઈ રહ્યા ને તબીયત સુધરી ગઈ, તો ત્યાં એ ક્ષેત્રના નિમિત્તથી શાતા-વેદનીય પ્રગટ ઉદય પામ્યું, ને ફળ પ્રગટ દેખાયું, ને અશાતાવેદનીય હવે કાળ પાકેલું ઉદય તો પામ્યું પરંતુ ફળ દેખાડયા વિના એમ જ ચાલ્યું જાય છે. એથી ઉલટું કાર્ય; સાજા સારા હોય અને પ્લેગની હવામાં જઈ વસે ત્યાં બને છે. આવું મોહનીય કર્મમાં પણ બને છે. મંદિરમાં ગયા, સારા ભાવ જાગે છે ત્યાં મોહનીય કંઈક દબાય છે.પરંતુ એવામાં કોઈ આધુનિક વેશવાળી સ્ત્રી આવી, એના પર જો દ્રિષ્ટ નાખી તો એ નિમિત્તથી રાગ-મોહનીય કર્મ વ્યક્ત ઉદયમાં આવે છે, અને પ્રબળ રાગ પ્રગટ દેખાડે છે. પહેલાં એવું જ કર્મ સારા નિમિત્ત યાને સારા ભાવની સામે એવું પ્રગટ ફળ નહોતા દેખાડી શકતાં. પરંતુ હવે એ માટેનાં નિમિત્ત આવી મળતાં જોર મારે છે, અને પોતાનું ફળ પ્રગટ કરે છે. કેવાં કેવાં નિમિત્ત કેવી લપ ઊભી કરે છે. : આ નિમિત્તક ઉદયવાળાં મોહનીય કર્મનો અર્થ એ થયો કે જ્યાંસુધી ખરાબ નિમિત્ત ન સેવો ત્યાં સુધી એ કર્મ તેવાં પ્રગટ ફળ ન દેખાડે; ને અસત્ નિમિત્ત સેવો કે તરત પ્રગટ ફળ ઊભું થયું જ સમજો. દા.ત. (૧) કોઈનો સારો બંગલો બગીચો મોટર વગેરે યા પરસ્ત્રી કે એનું ચિત્ર વગેરે ન જુઓ ત્યાં સુધી જીવ ડાહ્યો શાણો; પરંતુ એ જોયું તો રાગનો ઉછાળો આવ્યો સમજો. (૨) એમ, ધર્મપુસ્તક વાંચે ત્યાં શાણપણ; કિન્તુ નોવેલ નવલિકા કે દુનિયાના સમાચાર જ્યાં વાચ્યા કે તરત રાગ દ્વેષ ઊછળ્યા જ સમજો. એમ, (૩) બીજા પણ ક્રોધનાં-અભિમાનનાં-લોભનાં નિમિત્ત સાથે જો ટકરાયા, તો એ ક્રોધાદિનાં કર્મ ઉદય પામતાં આમ ફળરૂપે તરત ક્રોધ આદિની લાગણી ઊભી કરવાના. નિમિત્તથી કહો કેવી લપ ઊભી થાય છે ? આ પરથી ધ્યાન રાખવા જેવું છે કે બૂરા નિમિત્તોથી આઘા જ રહીએ, નહિતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy